માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન  મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ મહિલા સુરતથી અને સામાકાંઠેથી ગુમ વૃદ્ધ મળી આવ્યા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના વાહનોનો ભાજપના પ્રચાર માટે ઉપયોગ રોકવાની કોંગ્રેસની કલેકટરને રજૂઆત


SHARE











મોરબી પાલિકાના વાહનોનો ભાજપના પ્રચાર માટે ઉપયોગ રોકવાની કોંગ્રેસની કલેકટરને રજૂઆત

મોરબીની ભાજપ શાસિત પાલિકાએ પ્રજાના પૈસાથી જે વાહનો ખરીદેલ છે તે સરકારી વાહનોનો ગેરઉપયોગ તેમના પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મોરબી આવતા છે તે પહેલા રોડ ઉપર બેનર અને ઝંડા લગાવવા માટે કરવામાં આવી રહયો છે જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી દ્વારા આ મુદે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને આ વાહનનો ઉપયોગ કરવાની સૂચના આપનારા અધિકારી અને પદાધિકારીએ સામે પણ પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબીમાં પાલિકાના વાહનો અને માણસો દ્વારા ભાજપના ઝંડા અને પતાકા લગાવવામાં આવી રહ્યા હતા જેના ફોટો અને વિડીયો સોશિઅલ મીડિયામાં વાયરલ થયેલ છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરુ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, પાલિકાના વાહનો અને માણસોનો પગાર  પ્રજાના ટેક્સ રૂપે ભરેલ રૂપિયામાંથી કરવામાં આવે છે તો પછી ભાજપના પ્રચાર પ્રસાર માટે કેમ તેનો ઉપયોગ કરવામાં આવી રહયો છે ? મોરબીમાં ભાજપના ઝંડા લગાવવા માટે પાલિકાના વાહનોનો ગેર ઉપયોગ શા માટે થાય છે ? અને જે અધિકારી કે પદાધિકારીની સૂચનાથી વાહન અને માણસો આપવામાં આવ્યા હોય તેની પાસેથી તમામ ખર્ચના પૈસા વસૂલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ પાલિકાના વાહન અને માણસોનો ઉપયોગ કરાવનારા અધિકારી અને પદાધિકારી સામે કડકમાં કડક  પગલાં લેવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે તેમજ જો કોઈ સદસ્ય દ્વારા સૂચના આપવામાં આવી હોય તો તેનું પદ રદ કરવામાં આવે તેના માટે શહેરી વિકાસ સચિવને રજૂઆત કરશે તેવું પણ જણાવ્યુ છે






Latest News