મોરબીના સિપાહીવાસમાં બે સગા ભાઈઓ ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા મકબુલની ધરપકડ
મોરબીના પાવડીયારી નજીકથી લીંબડીના એનડીપીએસના ગુનાનો આરોપી પકડાયો
SHARE
મોરબીના પાવડીયારી નજીકથી લીંબડીના એનડીપીએસના ગુનાનો આરોપી પકડાયો
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવળીયારી વિસ્તારમાંથી લીંબડીના પાણશીણા પોલીસ સ્ટેશન વિસ્તારના નોંધાયેલ એનડીપીએસના ગુનાના આરોપીને લીંબડી પોલીસે પકડી પાડ્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગરના લીંબડી પોલીસ સ્ટેશનના પાણશીણા વિસ્તારમાં નોંધાયેલ એનડીપીએસના ગુનાનો આરોપી મોરબી હોવાની બાતમીના આધારે લીંબડી પોલીસ મથકના પીએસઆઇ એન.એસ.ખુરેશી મોરબી આવ્યા હતા અને મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયારી વિસ્તારમાં આવેલ શિવમ કોમ્પલેક્ષ દુકાન નંબર-૧૭ મહેશ લાલજીભાઈની દુકાનમાંથી શંભુરામ રાજુરામ જાટ (ઉંમર ૩૦) વાળાની એનડીપીએસના ગુનામાં ધરપકડ કરી હતી.
અકસ્માતના ગુનામાં ધરપકડ
મોરબીના નવા બસ સ્ટેશન પાસે બે માસ પહેલા વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ડબલ સવારીમાં જતું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને તે બનાવમાં અજય દિનેશભાઈ સાલાણી નામના યુવાનનું મોત નીપજયુ હતુ. ઉપરોક્ત બનાવ સંદર્ભે નોંધાયેલ ફરિયાદ આધારે એ ડિવિઝન પોલીસ મથકના તપાસ અધિકારી મહિલા પીએસઆઇ પી.આર.સોનારા તથા રાઇટર મનસુખભાઇ દેગામડીયા દ્વારા બાઈક ચલાવનાર સગીર વયના આરોપીને હસ્તગત કરવામાં આવ્યો હતો અને તે સગીર હોય પુછપરછ કરીને તેને વાલીને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા સુરેશ પરસોતમ ચાવડા નામના ૨૭ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજા પહોંચતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો