મોરબીમાં યુવાન પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરનારા વધુ બે આરોપીની ધરપકડ
મોરબીમાં પાટીદાર શિક્ષક સમાજના કન્વીનરોની બેઠક મળી
SHARE
મોરબીમાં પાટીદાર શિક્ષક સમાજના કન્વીનરોની બેઠક મળી
છેલ્લા પાંચ વર્ષથી "હું" નહીં પણ "આપણે" ના સૂત્રને સાર્થક કરી સામાજિક ઉત્થાન માટે કાર્યશીલ એવા મોરબી પાટીદાર સમાજના પ્રાથમિક શિક્ષકોની સંસ્થા એટલે કે પાટીદાર શિક્ષક સમાજ મોરબીના પે સેન્ટર કન્વીનરોની બેઠક રવાપર તાલુકા શાળા ખાતે મળી હતી આ બેઠકમાં વર્ષ ૨૦૨૩ ની સભાસદ ફી તેમજ આ વર્ષે આયોજિત કરવાના પ્રોજેક્ટો અને પ્રકલ્પો બાબતે ચર્ચા વિચારણા અને આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આ બેઠકમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીના અધ્યક્ષ દિનેશભાઈ ડી.વડસોલા, મહામંત્રી કિરણભાઈ કાચરોલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રેરણા પ્રોત્સાહન પૂરા પાડ્યુ હતું તો સંદીપ આદ્રોજા દ્વારા પાટીદાર શિક્ષક સમાજની જનરલ કાર્યવાહી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે રવાપર તાલુકા શાળાના આચાર્ય હિરેનભાઈ ધોરીયાણી, શિક્ષક મુકેશભાઈ બરાસરા દ્વારા આ બેઠક માટે જરૂરી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતું