મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ મોરબીના ઘૂટું ગામનો રહેવાસી મોક્ષ કૈલા જીલ્લા કક્ષાએ દોડમાં વિજેતા બન્યો મોરબીના રાજકોટ હાઇવે અજંતા નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબી: સુરજબારી ચેકપોસ્ટ નજીક વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત મોરબીમાં નટરાજ ફાટક-વેજીટેબલ રોડે કરવામાં આવેલા દબાણો ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી ગયું
Breaking news
Morbi Today

ટંકારામાં કેન્દ્રિય મંત્રીની હાજરીમાં ઉમિયા સમુહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ૨૭ દંપતીએ પ્રભુતામાં ડગ માંડ્યા


SHARE













ટંકારામાં કેન્દ્રિય મંત્રીની હાજરીમાં ઉમિયા સમુહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ૨૭ દંપતીએ પ્રભુતામાં ડગ માંડ્યા

છેલ્લા અગિયાર વર્ષથી અખાત્રીજના પાવન દિવસે કડવા પાટીદાર સમાજના ઉમિયા સમુહ લગ્ન સમિતિ દ્વારા શાહી લગ્નોત્સવ યોજવામાં આવે છે. ત્યારે આ વખતે પણ નવ નિર્માણ ટંકારા પાટીદાર સમાજ ભવન ખાતે આ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ શાહી સમુહ લગ્નોત્સવમાં ૨૭ દંપતીઓ વડીલો, આગેવાનો સહિતનાઓના આશીર્વાદ સાથે પ્રભુતામાં પગલાં પાડયા હતા. ત્યારે આ લગ્નોત્સવમાં રક્તદાન, બેટી બચાવો, સ્વચ્છ ભારત, પાણી બચાવો, વૃક્ષો વાવો તેમજ પશુ-પક્ષીની જીવમાત્રની જાળવણીનું મહત્વ, મેડિકલ સાધન સહાય જેવી વિવિધ સામાજિક સુધારા અંગે ચિત્રાવલી થકી જાગૃત કરવા સહિયારો પ્રયાસ કર્યો હતો. આ શુભ પ્રસંગે મહંત દામજી ભગત, કેન્દ્ર સરકારના મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, ટંકારા પડધરી ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયા, મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સાંસદ મોહનભાઇ કુડારીયા, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, માજી ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા, સિદસર મંદિરના પ્રમુખ જેરાજભાઈ વાસઝાણીયા, આંબાભગત જગ્યાના પ્રમુખ હરેશ ધોડાસરા જીલ્લા પંચાયતના વિપક્ષના નેતા ભુપતભાઈ ગોધાણી, લેઉવા પાટીદાર સમુહ લગ્ન સમિતિ સહિતના સામાજિક અને રાજકીય અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી નવયુગલોને આશિર્વાદ આપ્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સૌથી મોટો ફાળો સ્વયંસેવકોનો છે જેથી કરીને સમૂહલગ્ન સમિતિના અધ્યક્ષ અરવિંદ બારૈયા, પ્રમુખ હિરાભાઈ ફેફર સહિતની કમિટીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.








Latest News