મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ
Breaking news
Morbi Today

મોરબીને મહાપાલિકાનો દરજ્જો અપાવવા કલેક્ટર-ધારાસભ્યની હાજરીમાં સરપંચો સાથે બેઠક યોજાઇ


SHARE















મોરબીને મહાપાલિકાનો દરજ્જો અપાવવા કલેક્ટર-ધારાસભ્યની હાજરીમાં સરપંચો સાથે બેઠક યોજાઇ

મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો અપાવવા બાબતે સરકાર વિચારણા કરી રહી છે ત્યારે મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને તથા ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની હાજરીમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જુદાજુદા ૧૦ ગામના સરપંચોની સાથે બેઠક યોજાઈ હતી જેમાં ખાસ કરીને મોરબીને મહાપાલિકાનો દરજ્જો આપવામાં આવે તો લોકોની સુખ સુવિધામાં શું વધારો થશે તેની માહિતી આપવામાં આવી હતી

આ બેઠકમાં કલેક્ટરએ જણાવ્યું હતું કેમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મોરબી જિલ્લાની તાજેતરની મુલાકાત દરમિયાન તેમની સાથે જિલ્લાના પદાધિકારીઓએ મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવા તથા મવુડા અમલી કરવા રજૂઆત કરી હતી. જે અન્વયે સરકાર સમક્ષ રજૂઆત કરવાની થાય છે. અને સરપંચઓને તેમણે જણાવ્યું હતું કેમોરબીના વિકાસ માટે મહાનગરપાલિકા બનાવવી અને મવુડાનો અમલ ખૂબ જરૂરી છે. શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારી શકાય અને આસપાસના વિસ્તારોને વિવિધ ગ્રાન્ટ મળવાપાત્ર બને તે માટે મોરબી મહાનગરપાલિકામાં તેમજ મવુડામાં કયા કયા ગામનો સમાવેશ કરવો તે અંગે સરપંચ સરપંચઓના અભિપ્રાય મેળવ્યા હતા.

ત્યારે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાએ પણ મોરબીમાં સફાઈના પ્રશ્નોસ્ટાફના પ્રશ્નો તેમજ અનેક અદ્યતન સુવિધાઓ અને ભવિષ્યના લાંબા આયોજન માટે મહાનગરપાલિકા તેમજ મવુડાના અમલીકરણ માટે હકારાત્મક વલણ અપનાવવા જણાવ્યું હતું આ બેઠકમાં ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સરપંચઓને સંબોધીને જણાવ્યું હતું કેભવિષ્યની પેઢીની સુખ સગવડ માટે તેમજ મોરબીની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ઓથોરિટી ખૂબ જરૂરી છે. મોરબીમાં રીંગરોડ બને તો ટ્રાફિક સમસ્યા ઉકેલી શકાય. પ્રજાના હિત માટે આ પ્રયાસને પ્રોત્સાહન આપવા અને સૌને સહારા પ્રયાસો કરવા તેમણે સૌને અપીલ કરી હતી.

આસપાસના ગામમાંથી આવેલા સરપંચઓએ મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તથા મવુડાના અમલીકરણ માટે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને જણાવ્યું હતું કેઆગામી ગ્રામસભામાં મહાનગરપાલિકા તેમજ મવુડાથી ગ્રામીણ વિસ્તારોને થનાર લાભો વિશે ગ્રામજનોને વાકેફ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આ તકે પ્રેસેન્ટેશન દ્વારા સમગ્ર આયોજન અંગે સરપંચઓને માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાજિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાટંકારા પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયામોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલાડેપ્યુટી કલેક્ટર ડી.સી.પરમાર તથા વિવિધ ગામના સરપંચઓ અને તલાટી-મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા






Latest News