માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં મસાલ રેલી સાથે હિન્દુ સામ્રાજ્ય દિન ઉજવવા તૈયારી


SHARE













મોરબીમાં મસાલ રેલી સાથે હિન્દુ સામ્રાજ્ય દિન ઉજવવા તૈયારી

મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિનની ઉજવણી કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી છે અને આગામી બીજી જુન અને શુક્રવારે મોરબીમાં કાર અને બાઈક સાથે મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે

છત્રપતિ શિવાજી મહારાજના સ્વરાજ્યના ૩૫૦ વર્ષ થઈ રહ્યા છે ત્યારે હિન્દુ સ્વરાજ્યનો પાયો નાખનાર હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યભિષેક દિવસને હિન્દુ સામ્રાજ્ય દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોરબીમાં બીજી જૂને કાર અને બાઇક સાથે મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રેલી રાત્રે ૮:૧૫ વાગ્યે આઈકોન રેસિડેન્સી ખાતેથી શરૂ કરવામાં આવશે ત્યારે એસપી રોડ, કુળદેવી પાન, ક્રિષ્ના સ્કૂલ, બોની પાર્ક, વર્ધમાન એપાર્ટમેન્ટ, આલાપ રોડ, વજેપર મેઇન રોડ, શિવાજી મહારાજ સર્કલ, જેલ રોડ,વાઘપરા મેઇન રોડ, સ્વામી વિવેકાનંદ રોડ, રાજકોટ નાગરિક બેંક, ઘનશ્યામ માર્કેટ, નીલકંઠ સ્કૂલ, નરસંગ ટેકરી મંદિર થઈને કેપિટલ માર્કેટ ખાતે રાત્રે ૧૦ વાગ્યે સંપન્ન કરવામાં આવશે ત્યાં સભા પણ રાખવામા આવી છે જેમાં નગરજનોને જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે






Latest News