મોરબીમાં મસાલ રેલી સાથે હિન્દુ સામ્રાજ્ય દિન ઉજવવા તૈયારી
SHARE
મોરબીમાં મસાલ રેલી સાથે હિન્દુ સામ્રાજ્ય દિન ઉજવવા તૈયારી
મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિનની ઉજવણી કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી છે અને આગામી બીજી જુન અને શુક્રવારે મોરબીમાં કાર અને બાઈક સાથે મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે
છત્રપતિ શિવાજી મહારાજના સ્વરાજ્યના ૩૫૦ વર્ષ થઈ રહ્યા છે ત્યારે હિન્દુ સ્વરાજ્યનો પાયો નાખનાર હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યભિષેક દિવસને હિન્દુ સામ્રાજ્ય દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોરબીમાં બીજી જૂને કાર અને બાઇક સાથે મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રેલી રાત્રે ૮:૧૫ વાગ્યે આઈકોન રેસિડેન્સી ખાતેથી શરૂ કરવામાં આવશે ત્યારે એસપી રોડ, કુળદેવી પાન, ક્રિષ્ના સ્કૂલ, બોની પાર્ક, વર્ધમાન એપાર્ટમેન્ટ, આલાપ રોડ, વજેપર મેઇન રોડ, શિવાજી મહારાજ સર્કલ, જેલ રોડ,વાઘપરા મેઇન રોડ, સ્વામી વિવેકાનંદ રોડ, રાજકોટ નાગરિક બેંક, ઘનશ્યામ માર્કેટ, નીલકંઠ સ્કૂલ, નરસંગ ટેકરી મંદિર થઈને કેપિટલ માર્કેટ ખાતે રાત્રે ૧૦ વાગ્યે સંપન્ન કરવામાં આવશે ત્યાં સભા પણ રાખવામા આવી છે જેમાં નગરજનોને જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે