મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેર બ્રહ્મ સમાજ ગણેશોત્સવમાં Baps સ્વામિનારાયણ સંસ્થાનાં સંતો પધાર્યા 


SHARE











વાંકાનેર બ્રહ્મ સમાજ ગણેશોત્સવમાં Baps સ્વામિનારાયણ સંસ્થાનાં સંતો પધાર્યા 

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં ગણેશોત્સવની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બ્રહ્મ સમાજ કા રાજ દુલારા ગણેશ પંડાલ ખાતે Baps સ્વામિનારાયણ સંસ્થાનાં સંતોએ ખાસ પધરામણી કરતા ભાવિકોએ આશીર્વચનનો લાભ લીધો હતો.
વાંકાનેર સમસ્ત બ્રહ્મસમાજ અગ્રણી ભરતભાઈ ઓઝા દ્વારા સ્ટેચ્યુ સર્કલ પાસે સમસ્ત બ્રહ્મ સમાજ કા રાજ દુલારા ગણેશ પંડાલ ખાતે ભક્તિભાવ પૂર્ણ ગણેશોત્સવ ઉજવણી કરવામાં
આવી રહી છે ત્યારે આ ધાર્મિક કાર્યક્રમનાં નિમંત્રણ અન્વયે મોરબી ક્ષેત્રનાં સંત નિર્દેશક હરિસ્મરણ સ્વામી તથા મંગલપ્રકાશ સ્વામીની ગણેશોત્સવમાં ખાસ પધરામણી કરવામાં આવી હતી અને તેઓના વરદ હસ્તે આરતી કરવામાં આવી હતી, અગ્રણીઓ હસ્તે સંતોનું  સન્માન કરવામાં આવ્યું હતું, હરિસ્મરણ સ્વામીએ આશીર્વચન પાઠવતા કહ્યું હતું કે ગણેશજીનું સ્વરૂપ આપણને અનેક પ્રેરણા આપે છે,આજે કોઈ કોઈનું સાંભળતું નથી ત્યારે ગણેશજીનાં મોટા કાન આપણને સામી વ્યક્તિની વાત સાંભળવાની પ્રેરણા આપે છે, વિશ્વવંદનીય સંત પુજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા સામા વ્યક્તિની વાત સાંભળવી, યોગ્ય વાત એ ન સમજે તો આપણે સમજી જવું. આ તકે ભરતભાઈ ઓઝા દ્વારા સંતોનું સન્માન કરાયું હતું, રાજકોટથી બ્રહ્મ સમાજઅગ્રણી જીતુભાઈ મહેતા, વાંકાનેર બ્રહ્મ સમાજનાં પુષ્કરભાઈ ત્રિવેદી, અમિતભાઈ મઢવી, રાજુભાઈ રાજગોર, અમિતભાઈ ભટ્ટ, રાજુભાઈ રાવલ, દુષ્યંતભાઈ ઠાકર, યોગીભાઈ વ્યાસ, મહેંદ્રભાઈ આચાર્ય, રમેશભાઈ (કવિ), ઉદ્યોગપતિ ગિરીશભાઈ કાનાબાર, વાંકાનેર Baps મંડળનાં અગ્રણી જયેશભાઈ રામાણી, હંસાબેન રામાણી હાજર રહ્યા હતાં.






Latest News