ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ડો.સતીશ પટેલની હોસ્પિટલે સરસ્વતી પૂજનનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં ડો.સતીશ પટેલની હોસ્પિટલે સરસ્વતી પૂજનનો કાર્યક્રમ યોજાયો

મોરબીની ભૂમિ એટલે ઉદ્યોગનગરીની સાથે સાથે સાહિત્ય સર્જકોની પણ ભૂમિ છે મોરબીમાં અવારનવાર ગૌરવપ્રદ બાબતો બનતી રહે છે મોરબીમાં અનેક સાહિત્ય સર્જકો દ્વારા અવનવું સાહિત્ય સર્જન થતું રહે છે. આ સાહિત્ય સર્જકોમાં અદકેરું નામ કે જેઓ જાણીતા માનીતા બાળરોગ નિષ્ણાંત ડોકટર છે પ્રખર વક્તા, પ્રવક્તા, ચિંતક, બૌદ્ધિક એવા ડો.સતીશ પટેલે પોતાના તબીબી વ્યવસાયની સાથે ઘણું બધું સાહિત્ય સર્જન કર્યું છે

તેઓએ "બાળ ઉછેર બે હાથમાં" પુસ્તક લખ્યું છે જેની અત્યાર સુધીમાં પચીસ હજાર પ્રતો છપાઈ ચુકી છે અને ગુજરાત સાહિત્ય પરિસદ દ્વારા પુરસ્કૃત થયેલ છે અને જેનો હિન્દી અનુવાદ "બચ્ચે કી પરવરીશ" ની બે હજાર નકલો છપાઈ ચુકી છે વંચાઈ ચુકી છે,તેમજ એમનું બીજું એક પુસ્તક "આરોગ્યની આસપાસ" જેનું ડો.સતીશ પટેલે સંપાદન કરેલ છે એ પુસ્તકની એક લાખ છવીસ હજાર નકલો છપાઈ ચુકી છે, વંચાઈ ચુકી છે, "ઇતિ વાર્તા" નામનો ટૂંકીવાર્તા સંગ્રહ પણ અનેક ઘરોમાં વંચાય છે અને "પૂર્ણ વિરામ પછી.."પુસ્તક હાલ પ્રવીણ પ્રકાશનમાં તૈયાર થઈ રહ્યું છે, એવા લેખક ડો.સતીશ પટેલ દ્વારા લખાયેલું પુસ્તક "સ્ટેથોસ્કોપનો ધબકાર"ને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક આપેલ છે. આ ખુશીના અવસરને વધાવવા પુસ્તક સાથે સરસ્વતી પૂજનનો કાર્યક્રમ એમની હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે ડો.પ્રેયસ પંડ્યા, ડો.રુચિ પંડ્યા, ડો.સંજય બાણુંગારીયા, દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જયેશભાઈ બાવરવા મંત્રી શિક્ષક મંડળી, ડો.અમૃતલાલ કાંજીયા, ઘનશ્યામભાઈ ડાંગર, વકીલ કાજલબેન ચંડીભ્રમ, ધરતીબેન બરાસરા, સંજય બાપોદરિયા, પી.જી.પટેલ કોલેજના પ્રિન્સિપાલ ડો.રવિંન્દ્ર ભટ્ટ, કિશોરભાઈ વાંસદડીયા વગેરેની હાજર રહ્યા હતા






Latest News