મોરબી જિલ્લાના શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલવા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને રજુઆત
ટંકારાના જબલપુર ગામે કડવા પાટીદાર સમાજ ભવનનુ રવિવારે લોકાપર્ણ
SHARE
ટંકારાના જબલપુર ગામે કડવા પાટીદાર સમાજ ભવનનુ રવિવારે લોકાપર્ણ
આગામી તા ૨૩ જુલાઈને રવિવારે ટંકારા તાલુકાનાં જબલપુર ગામે કડવા પાટીદાર સમાજ વાડીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. ત્યારે કળશ યાત્રા વાજતે ગાજતે શોભાયાત્રા સ્વરૂપે નિકળશે અને સમાજવાડી ખાતે પહોંચશે ત્યાર બાદ સાંજે ગાયત્રી યજ્ઞ યોજાશે. અને બાદમાં સમુહ ભોજન અને નાટકનું આયોજન કરવામાં આવેલ છે
ટંકારાના જબલપુર ગ્રામજનોના સાથ અને સહકાર થકી જબલપુર કડવા પાટીદાર સમાજ ભવનનુ નિર્માણ પામેલ છે. આ સમાજ ભવનના લોકાર્પણ નિમિત્તે જબલપુર મુકામે અનેક વિધિ કાર્યક્રમનું ભવ્યાતી ભવ્ય આયોજન રવિવાર તા.૨૩ ના રોજ કરવામાં આવેલ છે. ત્યારે કુંભ સ્થાપન, ગાયત્રી યજ્ઞ, મહા આરતી, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને જબલપુરના યુવાનો દ્વારા આયોજીત મહાન-સામાજીક નાટક કંસ વધ રાત્રે ૧૦-૦૦ કલાકે ભવ્ય આયોજન કરેલ છે. ત્યારે જબલપુર ગામની સાસરે ગયેલ તમામ બહેનો અને દિકરીઓને પણ કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે