મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં ટ્રાફિક અવેરનેસ અને રોડ સલામતીનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં ટ્રાફિક અવેરનેસ અને રોડ સલામતીનો કાર્યક્રમ યોજાયો

સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ મોરબીમાં ચાલતા એનએસએસ યુનિટ દ્વારા ૧ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ 'ટ્રાફિક અવેરનેસ અને રોડ સલામતી' સંદર્ભનો કાર્યક્રમ યોજાયેલ હતો ભારતમાં અકસ્માતોનું પ્રમાણ અને તેને લીધે મૃત્યુનું વધતું પ્રમાણએ બહુ ચિંતાનો વિષય બની રહેલ છે. પરિણામે માનવ સંસાધનને મોટું નુકસાન ભોગવવું પડે છે. આ મુદ્દો જ્યારે સમગ્ર રાષ્ટ્ર માટે ચિંતાનો છે ત્યારે આ સંદર્ભની જાગૃતિ સમાજમાં પ્રસરે તે અનિવાર્ય છે. આ બાબતની અગત્યતાને ધ્યાનમાં લઈને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે મોરબી આરટીઓના મોટર વાહન નિરીક્ષક આર.એ. જાડેજા તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહેલ હતા તેઓએ ખાસ કરીને યુવા વર્ગને સંબોધીને ટ્રાફિક અવેરનેસ અને રોડ સલામતી સંદર્ભે તર્કબદ્ધ મુદ્દાઓ અકસ્માત નિવારણના સંદર્ભમાં રજૂ કર્યા હતા સામાન્ય પ્રકારની અવેરનેસના પરિણામો કેટલાયે અકસ્માતોને ટાળી શકાય છે અને માનવ સંસાધનને નુકસાન થતું અટકાવી શકાય છે તે સદ્રષ્ટાંત તેમણે સમજાવેલ. ટેકનિકલી તૈયાર કરેલી પીપીટી બતાવીને તેમણે પોતાનું વક્તવ્ય આપેલ હતું આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ કે.આર. દંગી, સ્ટાફ, એનએસએસ સ્વયંસેવકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ અને વિષય સંદર્ભે ગંભીર બનેલ છે આ કાર્યક્રમનું આયોજન એનએસએસ યુનિટ વતી પ્રોગ્રામ ઓફિસર ડો. આર.કે. વારોતરીયાએ કરેલ હતું






Latest News