માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં કપાસમાં છાંટવાની દવા પી જતા મહિલાનું મોત


SHARE













મોરબીમાં કપાસમાં છાંટવાની દવા પી જતા મહિલાનું મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કામ કરતા પરિવારના મહિલા કોઈ અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેઓનું મોત નિપજત્તા તેમના ડેડબોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું જેથી પોલીસે બનાવની નોંધ કરીને બનાવ સંદર્ભે હળવદ પોલીસમાં જાણ કરી હતી.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતેથી તબીબ દ્વારા યાદી આવી હતી અને તેમાં તેઓએ જણાવ્યું હતું કે, હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા ચકુબેન રામાભાઇ ભીલ નામની ૩૦ વર્ષીય મહિલા કપાસમાં છાંટવાની ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેઓનું મોત નીપજત્તા તેમના ડેડબોડીને અહીં પીએમ માટે લાવવામાં આવેલ છે હાલ બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરી બનાવ હળવદ પોલીસ મથક વિસ્તારનો હોય આગળની તપાસ માટે હળવદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

દવા પી જતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના જ ઇસનપુર ગામના રૂમાલસિંહ વાંગલાલસિંહ બામણીયા નામનો ૪૦ વર્ષનો યુવાનો કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ડો.પી.એન.આસરની હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવની એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસના હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને આ બનાવ હળવદ પોલીસ મથકનો હોય ત્યાં આ બનાવ સંદર્ભે આગળની તપાસ માટે જાણ કરાયેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ઉમા રેસીડેન્સી વિસ્તારમાં રહેતા સંતોષભાઈ વીરબહાદુરભાઇ નેપાળી નામના ૪૮ વર્ષના યુવાનને ઉમા રેસીડેન્સી નજીક મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે લઈ જવાયો હતો અને આ બનાવ અંગે હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.હરેશભાઈ ચાવડા આ દિશામાં વધુ તપાસ ચલાવી રહ્યા છે.






Latest News