મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીટર્નના કેસમાં એક વર્ષની સજા: ડબલ રૂપીયાનો દંડ મોરબીના રામધન આશ્રમ, જડેશ્વર મહાદેવ મંદિર, આપના કાર્યાલય સહિત જુદીજુદી જગ્યાએ શિવરાત્રિ ઉજવાઇ મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં મૃત્યુ પામેલા પરિવારને મળતા ધારાસભ્ય વિમલ ચુડાસમા: આરોપીઓ વહેલી તકે નહીં પકડાઈ તો મુદો વિધાનસભામાં ગુંજશે ​​​​​​​બાંધણું કરવાના નાટક ?!: મોરબીના રફાળેશ્વર ગામે શિવરાત્રીનો મેળો લૂંટ મેળો બન્યો છતાં તંત્ર તમાસો જોતું રહ્યું ? મોરબી નજીકના મચ્છુ-2 ડેમમાં ડૂબી ગયેલ સગીરને શોધવા માટે ફાયરની ટિમ દ્વારા શોધખોળ શરૂ ટંકારામાં ડૉ.આંબેડકર સાહેબનાં માતૃશ્રી ભીમાબાઈની જન્મ જયંતિએ આદિવાસી મહા સંમેલન યોજાયું મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ભારત માતાનું પૂજન કરીને વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરાઈ મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓને માઁ જીવદયા ગ્રુપ દ્વારા સન્માનિત કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના બેઠા પુલ પાસેથી બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયેલા વૃદ્ધનું મોત: વાળી વારસની શોધખોળ


SHARE













મોરબીના બેઠા પુલ પાસેથી બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયેલા વૃદ્ધનું મોત: વાળી વારસની શોધખોળ

મોરબી શહેરમાં આવેલ બેઠા પુલ પાસેથી વૃદ્ધ બેભાન હાલતમાં પડેલા મળી આવ્યા હતા. જેથી કરીને તેઓને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી રાજકોટ લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજયું છે જેથી કરીને બી ડિવિઝન પોલીસે તેના વાલીવારસને શોધવા માટે થઈને કવાયત શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બેઠા પુલ પાસેથી બેભાન હાલતમાં રવુભા (૬૫) નામના વૃદ્ધ બેભાન હાલતમાં મળી આવ્યા હતા જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજયું છે અને આ વૃદ્ધના વાલી વારસનો હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી જેથી મોરબી બી ડિવિજન પોલિસની ટીમ દ્વારા મૃતક વૃદ્ધના વાલીને શોધવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે અને વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે

હાર્ટ એટેકથી મોત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલા સાત હનુમાન સોસાયટી ખાતે રહેતા ચંદુભા રાસુભા જાડેજા (૬૮)ને હાર્ટ અટેક આવતા ચક્કર આવવાથી તે બેભાન થઈ ગયા હતા જેથી તેને સારવાર માટે તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે તેના દીકરા વિજયસિંહ ચંદુભા જાડેજા (૩૫) લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવ અંગેની મૃતકના દિકરા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News