માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી નજીક સર્જાયેલા જુદાજુદા બે જીવલેણ અકસ્માતમાં જુદીજુદી ફરિયાદ નોંધાઈ


SHARE

















મોરબી નજીક સર્જાયેલા જુદાજુદા બે જીવલેણ અકસ્માતમાં જુદીજુદી ફરિયાદ નોંધાઈ

મોરબીના બાયપાસ રોડે જુની આરટીઓ કચેરી પાસે અજાણ્યા વાહનની હડફેટે ચડી જવાથી ઇજા પામેલા યુવાનનું રાજકોટ સારવારમાં મોત નીપજયું હતું જે બનાવમાં મૃતક યુવાનના પિતાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને અજાણ્યા વાહન ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે

મોરબીના પીપળી ગામે મારૂતિપાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ માળિયા મિંયાણાના વવાણીયા ગામના મુન્નાભાઈ વિજયભાઈ ચાવડા નામનો ૧૮ વર્ષનો યુવાન ગત તા ૮/૯ નરોજ બાઈક લઈને જતો હતો ત્યારે કંડલા બાયપાસ જુની આરટીઓ કચેરી પાસે અજાણ્યા વાહનની હડફેટે ચડી જતા હતા મુન્નાભાઇને માથા તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ થતા મુન્નાભાઈ વિજયભાઈ ચાવડાને ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં લઈ જવાયો હતો. અને ત્યાથી ઇજાગ્રસ્ત મુન્નાભાઈને વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા ત્યાં તેનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજયુ હતું આ બનાવમાં હાલમાં મૃતકના પિતા વિજયભાઈ જગાભાઈ કોળી (૪૦) એ અજાણ્યા વાહન ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ગુનો નોંધાયો

મોરબીના લીલાપર-કેનાલ રોડ પાસે આવેલ બોરીયાપાટી વિસ્તારના રહેવાસી અવચરભાઇ બેચરભાઈ પરમાર જાતે સથવારા (૫૫) તથા તેમના કૌટુંબિક કાકા પ્રેમજીભાઈ કલ્યાણજીભાઈ પરમાર બંને ગઇકાલે બોરીયાપાટીમાંથી પગપાળા માતાના મઢ(કચ્છ) જવા માટે નીકળ્યા હતા. અને બપોરના પોણા બારેક વાગ્યાના અરસામાં લક્ષ્મીનગર ગામના પાસે ક્રેનના ચાલકે અવચરભાઇ બેચરભાઈ પરમારને હડફેટે લીધા હતા જેથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું આ બનાવમાં મૃતકના દીકરા મહેશ અવચરભાઇએ હાલમાં ક્રેનના ચાલકની સામે ફરિયાદ નોંધવી છ




Latest News