મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે બે પરિવાર વચ્ચે થયેલ માથાકૂટમાં બે આરોપીની ધરપકડ


SHARE











મોરબીના મહેન્દ્રનગર ગામે બે પરિવાર વચ્ચે થયેલ માથાકૂટમાં બે આરોપીની ધરપકડ

 મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે મકાનની દીવાલ બાબતે બે પરિવારો વચ્ચે સામસામે બોલાચાલી થઈ હતી અને બાદમાં સામસામે પથ્થરમારો કરીને મારા મારી કરવામાં આવી હતી અને આ ઘટનામાં સામસામે ફરિયાદો પણ નોંધવામાં આવેલી છે જેમથી એક ગુનામાં પોલીસે હાલમાં બે આરોપીઓની ધરપકડ કરી છે

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ આઇટીઆઇ સામેના ભાગે આવેલા વિસ્તારમાં મકાનની દીવાલ બાબતે સામસામે મારામારી થઈ હતી જેમાં બંને પક્ષના કુલ મળીને છ શખ્સોને ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા બાદમાં મારામારીના બનાવમાં બંને પક્ષેથી સામસામી ફરિયાદ કરવામાં આવી હતી જેમાં નવીનભાઈ મીઠાભાઈ મકવાણા (૩૮) રહે, મહેન્દ્રનગર આઇટીઆઇ સામે વાળાએ વિનોદ નાનજી ચાવડાચિરાગ નાનજી ચાવડા અને રમીલાબેન નાનજી ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેમને તથા સહેદોને સામેવાળા ઢીકાપાટુનો મારમારી છૂટા પથ્થર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ગુનામાં પોલીસે હાલમાં વિનોદ નાનજીભાઈ ચાવડા અને ચિરાગ નાનજીભાઈ ચાવડા રહે, બંને મહેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે






Latest News