મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

માળિયામાં હત્યાના ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીનો જામીન પર છુટકારો


SHARE









માળિયામાં હત્યાના ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીનો જામીન પર છુટકારો

માળિયા (મી)માં હત્યાના ગુનામાં સંડોવાયેલ ત્રણના જામીન માટે અરજી કરવામાં આવી હતી અને સેશન્સ કોર્ટમાં કરવામાં આવેલ જામીન અરજીને માન્ય રાખીને કોર્ટે ત્રણ આરોપીઓના જામીન મંજૂર કરેલ છે

માળિયામાં વર્ષ ૨૦૧૬ માં મારામારીની ઘટના બની હતી જેમાં ઇજા પામેલા વ્યક્તિનું મોત નીપજયું હતું જેથી કરીને બનાવ હત્યામાં પલટાયો હતો અને આ કેસમાં આરોપી રજાક ગફુર મોવર, તાજમામદ ગફુર મોવર અને સલીમ હારૂન જામ રહે. ત્રણેય મોવર ટીંબો માળિયા વાળા વિરુદ્ધ મારામારી અને ધમકીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં પાછળથી હત્યાની કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો હતો અને ત્રણેય આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા આ કેસમાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી દીધેલ છે ત્યારે ત્રણેય આરોપી વતી વકીલ પી.વી. વ્યાસ મારફતે કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી અને બચાવ પક્ષના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને મોરબી સેશન્સ કોર્ટે જામીન અરજી મંજૂર કરેલ છે અને ત્રણેય આરોપીના હત્યાના ગુનામાં ૧૦-૧૦ હજારના જામીન મંજૂર કરવામાં આવેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે વકીલ પી.વી. વ્યાસ રોકાયેલ હતા.






Latest News