મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

માળિયામાં હત્યાના ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીનો જામીન પર છુટકારો


SHARE













માળિયામાં હત્યાના ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીનો જામીન પર છુટકારો

માળિયા (મી)માં હત્યાના ગુનામાં સંડોવાયેલ ત્રણના જામીન માટે અરજી કરવામાં આવી હતી અને સેશન્સ કોર્ટમાં કરવામાં આવેલ જામીન અરજીને માન્ય રાખીને કોર્ટે ત્રણ આરોપીઓના જામીન મંજૂર કરેલ છે

માળિયામાં વર્ષ ૨૦૧૬ માં મારામારીની ઘટના બની હતી જેમાં ઇજા પામેલા વ્યક્તિનું મોત નીપજયું હતું જેથી કરીને બનાવ હત્યામાં પલટાયો હતો અને આ કેસમાં આરોપી રજાક ગફુર મોવર, તાજમામદ ગફુર મોવર અને સલીમ હારૂન જામ રહે. ત્રણેય મોવર ટીંબો માળિયા વાળા વિરુદ્ધ મારામારી અને ધમકીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં પાછળથી હત્યાની કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો હતો અને ત્રણેય આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા આ કેસમાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી દીધેલ છે ત્યારે ત્રણેય આરોપી વતી વકીલ પી.વી. વ્યાસ મારફતે કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી અને બચાવ પક્ષના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને મોરબી સેશન્સ કોર્ટે જામીન અરજી મંજૂર કરેલ છે અને ત્રણેય આરોપીના હત્યાના ગુનામાં ૧૦-૧૦ હજારના જામીન મંજૂર કરવામાં આવેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે વકીલ પી.વી. વ્યાસ રોકાયેલ હતા.






Latest News