મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

માળિયામાં હત્યાના ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીનો જામીન પર છુટકારો


SHARE







માળિયામાં હત્યાના ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીનો જામીન પર છુટકારો

માળિયા (મી)માં હત્યાના ગુનામાં સંડોવાયેલ ત્રણના જામીન માટે અરજી કરવામાં આવી હતી અને સેશન્સ કોર્ટમાં કરવામાં આવેલ જામીન અરજીને માન્ય રાખીને કોર્ટે ત્રણ આરોપીઓના જામીન મંજૂર કરેલ છે

માળિયામાં વર્ષ ૨૦૧૬ માં મારામારીની ઘટના બની હતી જેમાં ઇજા પામેલા વ્યક્તિનું મોત નીપજયું હતું જેથી કરીને બનાવ હત્યામાં પલટાયો હતો અને આ કેસમાં આરોપી રજાક ગફુર મોવર, તાજમામદ ગફુર મોવર અને સલીમ હારૂન જામ રહે. ત્રણેય મોવર ટીંબો માળિયા વાળા વિરુદ્ધ મારામારી અને ધમકીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં પાછળથી હત્યાની કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો હતો અને ત્રણેય આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા આ કેસમાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી દીધેલ છે ત્યારે ત્રણેય આરોપી વતી વકીલ પી.વી. વ્યાસ મારફતે કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી અને બચાવ પક્ષના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને મોરબી સેશન્સ કોર્ટે જામીન અરજી મંજૂર કરેલ છે અને ત્રણેય આરોપીના હત્યાના ગુનામાં ૧૦-૧૦ હજારના જામીન મંજૂર કરવામાં આવેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે વકીલ પી.વી. વ્યાસ રોકાયેલ હતા.






Latest News