મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

માળિયામાં હત્યાના ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીનો જામીન પર છુટકારો


SHARE













માળિયામાં હત્યાના ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીનો જામીન પર છુટકારો

માળિયા (મી)માં હત્યાના ગુનામાં સંડોવાયેલ ત્રણના જામીન માટે અરજી કરવામાં આવી હતી અને સેશન્સ કોર્ટમાં કરવામાં આવેલ જામીન અરજીને માન્ય રાખીને કોર્ટે ત્રણ આરોપીઓના જામીન મંજૂર કરેલ છે

માળિયામાં વર્ષ ૨૦૧૬ માં મારામારીની ઘટના બની હતી જેમાં ઇજા પામેલા વ્યક્તિનું મોત નીપજયું હતું જેથી કરીને બનાવ હત્યામાં પલટાયો હતો અને આ કેસમાં આરોપી રજાક ગફુર મોવર, તાજમામદ ગફુર મોવર અને સલીમ હારૂન જામ રહે. ત્રણેય મોવર ટીંબો માળિયા વાળા વિરુદ્ધ મારામારી અને ધમકીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં પાછળથી હત્યાની કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો હતો અને ત્રણેય આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા આ કેસમાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી દીધેલ છે ત્યારે ત્રણેય આરોપી વતી વકીલ પી.વી. વ્યાસ મારફતે કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી અને બચાવ પક્ષના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને મોરબી સેશન્સ કોર્ટે જામીન અરજી મંજૂર કરેલ છે અને ત્રણેય આરોપીના હત્યાના ગુનામાં ૧૦-૧૦ હજારના જામીન મંજૂર કરવામાં આવેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે વકીલ પી.વી. વ્યાસ રોકાયેલ હતા.








Latest News