વાંકાનેરના વઘાસીયા ગામે ઘરમાં ચાલતા ચાલતા પડી ગયેલા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત
SHARE
વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ગામે રહેતા વૃદ્ધા પોતાના ઘરની અંદર ચાલતા જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તે પડી જતા તેઓને ઇજા થતા પ્રથમ વાંકાનેર અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજયુ હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ વઘાસિયા ગામે રહેતા જાનીબેન હકાભાઇ ડાભી જાતે ભરવાડ (૬૫) નામના વૃદ્ધા પોતાના ઘરની અંદર ચાલતા જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તે પડી ગયા હતા જેથી કરીને તેઓને ઈજા થતાં પ્રથમ સારવાર માટે વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તે વૃદ્ધાનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ અંગેની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે