મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી: ભાઈ અન્ય યુવક સાથે વાત કરતા જોઈ જતા સગીર બહેને ન કરવાનું કર્યુ


SHARE













મોરબી તાલુકાના બાદનપર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકર અન્ય યુવાન સાથે અંધારામાં વાતો કરતી હતી ત્યારે તેનો ભાઈ તેને જોઈ ગયો હતો જેથી કરીને તેનો ભાઈ તેના માતા-પિતાને જાણ કરી દેશે તે ચિંતામાં તેણે ખાનપર ગામ નજીક જીઇબીના વીજ પોલ સાથે ચુંદડી બાંધીને ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવ અંગેની મૃતકના પિતાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણમાં મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના બાદનપર ગામની સીમમાં ધનજીભાઈ સવજીભાઈ કંઝારીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા દિનેશભાઈ સમસુભાઈ મીનામા જાતે આદિવાસી (૩૭) ની દીકરી દીપિકાબેન દિનેશભાઈ મીનામા જાતે આદિવાસી (૧૭) એ ખાનપર ગામની સીમમાં ગોકળભાઈ ડાયાભાઈ અમૃતિયાની વાડીના શેઢે જીઇબીના વિજ પોલ સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીતેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને આ બનાવાની મૃતક સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે અને વધુમાં જાણવા મળતી માહિતી મુજબ  મૃતક સગીરા વાડીથી ત્રણ ખેતર દૂર વિપુલ નામના છોકરા સાથે અંધારામાં વાતો કરતી હતી અને ત્યારે તે બંનેને તેનો ભાઈ રોહીત જોઈ ગયો હતો જેથી કરીને તે બંને અલગ અલગ ખેતરમાં ભાગી ગયા હતા અને સગીરાનો ભાઈ તેના માતા-પિતાને આ અંગે વાત કરશે તેવું મનોમન લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી અંતિમ પગલું ભર્યું હોવાનું પરિવાર જણાવે છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News