મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી હળવદના ઢવાણા ગામનો બનાવ: પિતાની હત્યાનો કેસ પાછો ખેંચવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના બેલા ગામ પાસે દૂકનમાંથી 100 કિલો કોપર વાયર સહિત 1.42 લાખના મુદામાલની ચોરી: ઘુનડા (સ) ગામે તળાવ પાસેથી 20 કિલો કોપર વાયરની ચોરી મોરબી નજીક કારખાનામાં પેપર રોલ માથે પડવાથી શ્રમિક યુવાનનું મોત: ત્રાજપર ખરીમાં જુગાર રમતા બે પકડાયા મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર
Breaking news
Morbi Today

મોરબી: ભાઈ અન્ય યુવક સાથે વાત કરતા જોઈ જતા સગીર બહેને ન કરવાનું કર્યુ


SHARE









મોરબી તાલુકાના બાદનપર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકર અન્ય યુવાન સાથે અંધારામાં વાતો કરતી હતી ત્યારે તેનો ભાઈ તેને જોઈ ગયો હતો જેથી કરીને તેનો ભાઈ તેના માતા-પિતાને જાણ કરી દેશે તે ચિંતામાં તેણે ખાનપર ગામ નજીક જીઇબીના વીજ પોલ સાથે ચુંદડી બાંધીને ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવ અંગેની મૃતકના પિતાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણમાં મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના બાદનપર ગામની સીમમાં ધનજીભાઈ સવજીભાઈ કંઝારીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા દિનેશભાઈ સમસુભાઈ મીનામા જાતે આદિવાસી (૩૭) ની દીકરી દીપિકાબેન દિનેશભાઈ મીનામા જાતે આદિવાસી (૧૭) એ ખાનપર ગામની સીમમાં ગોકળભાઈ ડાયાભાઈ અમૃતિયાની વાડીના શેઢે જીઇબીના વિજ પોલ સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીતેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને આ બનાવાની મૃતક સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે અને વધુમાં જાણવા મળતી માહિતી મુજબ  મૃતક સગીરા વાડીથી ત્રણ ખેતર દૂર વિપુલ નામના છોકરા સાથે અંધારામાં વાતો કરતી હતી અને ત્યારે તે બંનેને તેનો ભાઈ રોહીત જોઈ ગયો હતો જેથી કરીને તે બંને અલગ અલગ ખેતરમાં ભાગી ગયા હતા અને સગીરાનો ભાઈ તેના માતા-પિતાને આ અંગે વાત કરશે તેવું મનોમન લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી અંતિમ પગલું ભર્યું હોવાનું પરિવાર જણાવે છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News