મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે દબાણો ઉપર સરકારી બુલડોઝર ફરી ગયું


SHARE















મોરબીના ખાનપર ગામે દબાણો ઉપર સરકારી બુલડોઝર ફરી ગયું

મોરબી તાલુકાના ખાનપર ગામે જિલ્લા વિકાસ અધિકારી  દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ દબાણ દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ.એમ. છાસીયા ,વિસ્તરણ અધિકારી સી.એમ.ભોરણીયા, તલાટી કમ મંત્રી ખાનપર જયેશભાઇ નકુમની ટીમ દ્વારા પોલિસ પ્રોટેક્શન હેઠળ ખાનપર ગામે દબાણો દુર કરવાની કાર્યવાહી કરવામા આવી હતી. જે કાર્યવાહીમા પોપટભાઇ ભલાભાઇ પરમાર દ્વારા જાહેર રસ્તા પર શૌચાલય, ઓધવજીભાઇ બચુભાઇ જાકાસણિયા દ્વારા સિમેન્ટનો ઢારિયો તેમજ દિનેશભાઇ મગનભાઇ જાકાસણિયા દ્વારા પશુદવાખાના વાળી શેરીમા એક રુમ જેટલુ બાંધકામ કરી કરેલ દબાણ દુર કરવા અગાઉ ગ્રામ પંચાયત દ્વારા તમામ આસામીઓને ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ મુજબ આખરી નોટિસો આપવામા આવેલ તેમ છતા દબાણો દુર કરેલ ન હોય આજે જિલ્લા વિકાસ અધિકારીની સુચના અનુસાર દબાણો દુર કરવામા આવ્યા છે






Latest News