મોરબીમાં પ્રોપેન ગેસ ન મળતાં બે દિવસમાં સિરામિકના 100 કારખાના બંધ, રાજ્યના મુખ્યમંત્રી પણ ઉદ્યોગ માટે ચિંતિત, મદદ માટે તૈયારી દર્શાવી: મનોજભાઈ એરાવાડિયા મોરબીમાં પ્રોપેન ગેસ ન મળતા સિરામિક કારખાનાઓ બંધ : શ્રમિકોને રહેવા-રાશનની વ્યવસ્થા કરાવતા કારખાનેદારો-કોન્ટ્રાકટરો મોરબી સિરામિક યુનિટમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમ અંતર્ગત સોઓરડીના લોકોની વ્યથાને સાંભળી મોરબી જિલ્લામાં ભાજપના હોદ્દેદારોની નિમણૂંકમાં ચુવાળીયા કોળી સમાજને થયેલા અન્યાયના મુદ્દે પ્રદેશ અધ્યક્ષને રજૂઆત મોરબી નજીક અકસ્માતે કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત વાંકાનેરના જામસર ગામે વાડીએ તૂટીને જમીન ઉપર પડેલા વીજ વાયર ઉપર પગ આવી જતાં શોર્ટ લાગવાથી આધેડનું મોત મોરબી શહેર-તાલુકામાં જુદી જુદી 3 જગ્યાએ વૃદ્ધા, આધેડ અને યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના છાત્રાલય રોડ ઉપર ૨૪ કલાક ગટરની ગંદકીથી વેપારીઓ-લોકો ત્રાહિમામ


SHARE













મોરબીના છાત્રાલય રોડ ઉપર ૨૪ કલાક ગટરની ગંદકીથી વેપારીઓ-લોકો ત્રાહિમામ

મોરબીના સનાળા રોડ ઉપર સરદાર બાગ પાસેથી કન્યા છાત્રાલય બાજુ જવાના રસ્તા ઉપર ૨૪ કલાક ગટરના ગંદા પાણી ઉભરાતા હોય છે જેથી કરીને ત્યાં દુકાન ધરાવતા વેપારીઓ તેમજ માલ સામાનની ખરીદી કરવા માટે મોરબી અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતાં લોકોને નાછૂટકે ગંદકીમાંથી પસાર થવું પડતું હોય છે આટલું જ નહીં હાલમાં શાળા કોલેજો શરૂ થઈ ગઈ છે ત્યારે મોરબી અને આસપાસના વિસ્તારમાથી અભ્યાસ માટે વિદ્યાર્થીઓ આવતા હોય છે તેઓને પણ આ ગંદકીની વચ્ચેથી પસાર થવું પડે છે આમ મોરબી પાલિકાની બેદરકારીને લીધે ૨૪ કલાક આ રસ્તા પર ગટરના ગંદા પાણી ઉભરાતા હોય છે જેથી સ્થાનિક વેપારીઓ અને લોકોમાં ભારે રોષની લાગણી છે ત્યારે વહેલામાં વહેલી તકે મોરબીના પોશ વિસ્તાર ગણાતા સનાળા રોડ અને કન્યા છાત્રાલય રોડ ઉપરથી ગટરની ગંદકીને દૂર કરવામાં આવે તેવી વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે








Latest News