માળીયા (મી)ના બગસરા ગામે તળાવની બાજુમાં નીલ ગાયનો શિકાર મોરબીમાં બંધ થતા સિરામિક કારખાનાઓને લઇને રાજ્યના મુખ્યમંત્રી પણ ચિંતિત, મદદ માટે તૈયારી દર્શાવી: મનોજભાઈ એરવાડિયા મોરબીમાં પ્રોપેન ગેસ ન મળતા સિરામિક કારખાનાઓ બંધ : શ્રમિકોને રહેવા-રાશનની વ્યવસ્થા કરાવતા કારખાનેદારો-કોન્ટ્રાકટરો મોરબી સિરામિક યુનિટમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમ અંતર્ગત સોઓરડીના લોકોની વ્યથાને સાંભળી મોરબી જિલ્લામાં ભાજપના હોદ્દેદારોની નિમણૂંકમાં ચુવાળીયા કોળી સમાજને થયેલા અન્યાયના મુદ્દે પ્રદેશ અધ્યક્ષને રજૂઆત મોરબી નજીક અકસ્માતે કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત વાંકાનેરના જામસર ગામે વાડીએ તૂટીને જમીન ઉપર પડેલા વીજ વાયર ઉપર પગ આવી જતાં શોર્ટ લાગવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રાજપરમાં યોજાશે ગૌશાળાના લાભાર્થે નાટક: “વિજુડી” કરશે જમાવટ


SHARE













મોરબીના રાજપરમાં યોજાશે ગૌશાળાના લાભાર્થે નાટક: “વિજુડી” કરશે જમાવટ

મોરબી તાલુકાનાં જુદાજુદા ગામોમાં નવરાત્રિ દરમ્યાન ગૌશાળાના લાભાર્થે જુદાજુદા કાર્યક્રમો કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી તાલુકાના રાજપર ગામમાં આગામી શનિવારે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યુટ્યુબ સ્ટાર વિજુડી પણ ત્યાં હાજર રહીને લોકોને પેટ પકડાવીને હસાવશે

મોરબી તાલુકાના રાજપર ગામમાં નિરાધાર ગાય માતાનો નિભાવ ગામ દ્વારા કરવામાં આવે છે અને આ ગામમાં દર વર્ષે નવરાત્રીમાં ગાયોના લાભાર્થે નાટકનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૯ ને શનિવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે સેતલનાં કાંઠે આલણ દેવરો ઐતિહાસિક નાટકનું આયોજન કરેલ છે. ત્યારે નકલંક ધામ-બગથળાના દામજી ભગત આશીર્વચન આપવા માટે આવશે અને યુટ્યુબ સ્ટાર વિજુડી અને તેની ટીમ પણ ત્યાં હાજર રહેશે અને લોકોને પેટ પકડાવીને હસાવશે માટે આ કાર્યક્ર્મનો લાભ લેવા અને ગૌ સેવાના કામમાં મદદ કરવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે








Latest News