મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેર મિલકતોના ભાજપને દસ્તાવેજ કરી આપવા રજૂઆત !


SHARE













મોરબીમાં જાહેર મિલકતોના ભાજપને દસ્તાવેજ કરી આપવા રજૂઆત !

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવિને રજૂઆત કરવામાં આવી છે કે, મોરબીની જાહેર સંપત્તિઓ ઉપર હાલમાં પણ ઝાડી પતાકા છે તેને દૂર કરવામાં આવતા નથી ત્યારે આ મિલકતોનો ભાજપને દસ્તાવેજ કરી આપવા આવે તેવી માંગ કરી છે

મોરબી શહેરની જાહેર સંપત્તિ ઉપર ભાજપ દ્વારા મંત્રીની આશીર્વાદ યાત્રા સમયે પોતાના પાર્ટીઝંડાઓ, પતકડાઓ તેમજ બેનરો મનફાવે તે રીતે મારી દેવામાં આવ્યા છે. ત્યાર બાદ પણ પ્રજાની જાહેર સંપત્તિ ઉપરથી ઝંડાઓ, પતકાને હટાવવામાં આવ્યા નથી. ત્યારે જવાબદાર અધિકારી કે કર્મચારીઓ દ્વારા જાહેર સંપતિ ઉપરથી તેને દૂર કરવામાં ન આવતા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી શહેરની તમામ જાહેર સંપત્તિઓ ભાજપના નામે કરી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે અને જો આમ કરવામાં નહિ આવે તો તે તમામ જગ્યાઓ ઉપર આમ આદમી પાર્ટીના સાહિત્યને લગાવવામાં આવશે તેવી ચીમકી આપના પરેશભાઈ પરિયા સહિતનાઓએ ઉચ્ચારી છે 








Latest News