મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ખોજા જમાતખાના-ઉમા ટાઉનશીપ ખાતે અક્ષત કળશનું સ્વાગત-પૂજન કરાયું


SHARE







મોરબીમાં ખોજા જમાતખાના-ઉમા ટાઉનશીપ ખાતે અક્ષત કળશનું સ્વાગત-પૂજન કરાયું

મોરબીના દાઉદી પ્લોટમાં આવેલ ઈસમાઈલી ખોજા જમાતખાના ખાતે અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરાયું હતું જ્યાં ખોજા જમાતખાનાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો સહિતના ખોજા સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આવી જ રીતે મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપમાં અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશનું સ્વાગત અને પૂજન કરાયું હતું અત્રે ઉલેખનીય છે કે, આગામી ૨૨ મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે તે પહેલા દરેક જિલ્લા, તાલુકા અને શહેરમાં અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશની યાત્રા યોજાય છે જેમાં ઠેર ઠેર સ્વાગત, પુજન સહિતના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીની ઉમા ટાઉનશીપમાં આ યાત્રા આવી પહોચી હતી ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ભાજપના આગેવાન ગોપાલભાઈ સરડવા સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા






Latest News