મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કમર તોડી નાખે તેવા ભાંગેલા તૂટેલા રોડ રસ્તાને રીપેર કરવાનું શરૂ


SHARE













મોરબી જીલ્લામાં કમર તોડી નાખે તેવા ભાંગેલા તૂટેલા રોડ રસ્તાને રીપેર કરવાનું શરૂ

મોરબી જિલ્લામાં અનેક રોડ રસ્તા તૂટી ગયા છે ત્યારે માર્ગ-મકાન વિભાગના મંત્રીની સુચના અનુસાર માર્ગ મકાન વિભાગ મોરબી દ્વારા રસ્તા રીપેરીંગ અંગેની કાર્યવાહી હાથ ધરેલ છે અને મોટાભાગના કામો પ્રગતિ હેઠળ છે અને ડામર પેચ વર્ક અને પેવરપટ્ટાની કામગીરી કરવામાં આવી રહી છે

મોરબી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) હસ્તક કુલ ૪૮૪.૪૭ કિ.મી. રસ્તાઓ આવેલ છે. જે પૈકી ૧૪૭.૬૦ કિ.મી. રસ્તાઓ હાલ ગેરંટી પીરીયડમાં છે તેના પેચવર્કની કામગીરી કરવા જે તે કોન્ટ્રાકટરોને જણાવેલ છે તથા ૩૧૫.૩૭ કિ.મી. રસ્તા ગેરંટી પીરીયડ સિવાયના હાલ ખાતા હસ્તક છે, જે રસ્તાઓ પૈકી ૧૨૭.૧૫ કિ.મી. નવા રીસરફેસ કરવાના મંજૂર થયેલ છે. જે ચોમાસાની સિઝન બાદ ટૂંક સમયમાં ચાલુ થશે. તેમજ બાકીની લંબાઈ ૧૮૮.૨૨ કિ.મી. પૈકીના રસ્તા પર ૨૧.૫૦ કિ.મી. ખરાબ સપાટી માંથી ૧૩.૩૫ કિ.મી. લંબાઈ પર ડામર પેચની કામગીરી થઈ ગયેલ છે અને ૮.૧૫ કિ.મી. પર ડામર પેચની કામગીરી પ્રગતિમાં છે જે એકાદ અઠવાડીયામાં પૂર્ણ થશે. પેચવર્ક પૂર્ણ થયે જેતે રસ્તાની ખરાબ લંબાઈમાં પેવરપટ્ટાની કામગીરી હાથ ધરવામાં આવશે.

મોરબી જીલ્લામાં ૭ વર્ષથી વધારે સમયથી ડામરકામ ન થયા હોય તેવા રસ્તાઓ જેવાકે (૧) મીતાણા-નેકનામ-પડધરી રોડ કિ.મી. ૬/૦ થી ૧૨/૮, શનાળા-ખાનપર રોડ કિ.મી. ૯/૦ થી ૧૮/૦, રાજકોટ- મોરબી રોડ એસ.એચ.-૨૪ (સિટી લિમિટ મોરબી શહેર) કિ.મી. ૬૦/૦૦ થી ૬૬/૬૦૦, માળિયા-પીપળીયા-હજનાળી રોડ કિ.મી. ૨૪/૦ થી ૪૫/૦, આમરણ-જીવાપર-માળેકવાડા રોડ કિ.મી. ૦/૦ થી ૯/૧, મોરબી-નાનીવાવડી-બગથળા રોડ કિ.મી. ૨/૦ થી ૨૨/૬૫૦, વાંકાનેર-અમરસર-મિતાણા રોડ કિ.મી. ૪/૦ થી ૨૫/૫, (૮) વાંકાનેર-કુવાડવા  રોડ કિ.મી. ૧૪/૦ થી ૨૨/૦૦, વાંકાનેર-દલડી-થાન રોડ કિ.મી. ૧૫/૫ થી ૧૮/૫, (૧૦) પલાસ-લુણસર-મંડણાસર રોડ કિ.મી. ૦/૦ થી ૧૦/૦ અને હળવદ-મયુરનગર-રાયસંગપર-ધનાળા-સુસવાવ રોડ કિ.મી. ૦/૦ થી ૧૧/૦ અને ૧૭/૫૦૦ થી ૧૮/૦ વગેરેના રીકારપેટના કામ મંજુર થયેલ છે અને કોન્ટ્રાકટરોને વર્કઓર્ડર આપી દેવામાં આવેલ છે. આમ રોડ મરામત મહાઅભિયાન અંતર્ગત માર્ગ-મકાન વિભાગના મંત્રીની સુચના અનુસાર માર્ગ મકાન વિભાગ મોરબી દ્વારા રસ્તા રીપેરીંગ અંગેની કાર્યવાહી હાથ ધરેલ છે તેમ કાર્યપાલક ઈજનેરે જણાવાયું છે.






Latest News