મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ ડે વિથ કમિશનર કાર્યક્રમમાં જોડાઈ મોરબીના ધારાસભ્ય-રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના જન્મદિવસ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોરબીની રફાળેશ્વર ચોકડીએ મારામારીમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત: બનાવ હત્યામાં પલટયો મોરબીના મહેન્દ્રનગર ગામે શનિવારે રાતે હિન્દુ સંમેલનનું આયોજન મોરબીમાં મનપા દ્વારા ખાણીપીણીના ૧૬ વેપારીઓને નોટિસ: વાસી બટર-અખાદ્ય ખોરાકનો કરાયો નાશ મોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન મોરબી રવિવારે ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વુમન પાવર એવોર્ડ  સમારોહ યોજાશે મોરબીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસની સેવાકીય કામ સાથે ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે તળાવના કાંઠે એસિડ પી ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE













મોરબીના બગથળા ગામે તળાવના કાંઠે એસિડ પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા યુવાને તળાવના કાંઠે કોઈ કારણોસર એસિડ પી લીધું હતું જેથી કરીને તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.જેથી આ બનાવવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે બગથળા ગામે રહેતા છગનભાઈ કાનજીભાઇ ડાભી (ઉંમર ૪૭) એ ગઈકાલે બપોરના એક વાગ્યાના અરસામાં ગામ પાસે આવેલ તળાવના કાંઠે એસીડ પી લીધુ હતુ જેથ કરીને યુવાનને સારવાર માટે મોરબીના આયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ આયુષ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો.જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને આ આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News