તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિર કાલે રાસ-ગરબાનું આયોજન: નાનીવાવડી ગામે જીદિલા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે


SHARE











મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિર કાલે રાસ-ગરબાનું આયોજન

મોરબીમાં નવલખી રોડ ઉપર રેલ્વે સ્ટેશન પાસે આવેલ આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક સમાન શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રીની ઊજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે તા.૧૩/૪ ને શનીવારે રાત્રે નવ વાગ્યે મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા ટીમના સંગાથે વિકાસ વિધાલયની બાળાઓ સાથે ચૈત્રી નવરાત્રીના પાંચમા નોરતે માતાજીના રાસ-ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દરેક બહેન અને કરીઓને રાસ-ગરબા રમવા માટે ત્યાં આવી શકે  છે તેવું શ્રી ધકકાવાળી મેલડી મંદિર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે

 

મોરબીના નાનીવાવડી ગામે જીદિલા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે

મોરબીના શ્રી જીદિલા મામાદેવ ગ્રુપ દ્વારા તા.૧૩ ને શનિવારના રોજ ભકતીનગર-૧ નાનીવાવડી ગામે શ્રી જીદિલા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે.જેમાં તા.૧૩ ને શનિવાર સવારે શુભ મુહૂર્તમાં મામાદેવનું મહાપૂજન, સાંજે ૭ કલાકે મહાપ્રસાદ અને રાત્રે ૯ :૩૦ કલાકે ડાક ડમરૂ કાર્યક્રમ યોજાશે જે મહોત્સવમાં કલમના ભુવા ઉપેન્દ્રસિંહ પરમાર, (જીદિલા મામાદેવ), કાળભૈરવ દાદાના ભુવા હકાભાઇ બજાણીયા, કમલેશભાઈ પરમાર (ચામુંડા માતાજી), ભગીરથભાઈ ગઢવી (મેલડી માતાજી ), બાબુભાઈ સુરણી (મેલડી માતાજી) તેમજ પંચના ભૂવાઓ ઉપસ્થિત રહેશે.રાવળદેવ મુકેશભાઈ (સાયલા વાળા ) તથા સાથી ગ્રુપ હાજર રહસે.સાથે સંતો -મહંતો ઉપસ્થિતિ રહેશે તો ઉપરોક્ત ધાર્મિક મહોત્સવનો લાભ લેવા શ્રી જીદિલા મામાસાહેબ ગ્રુપ નાનીવાવડી દ્વારા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.






Latest News