મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેર: આર્થિક સંકળામણ-ઘરકંકાશના લીધે યુવાને ન કરવાનું કર્યું


SHARE













વાંકાનેર: આર્થિક સંકળામણ-ઘરકંકાશના લીધે યુવાને ન કરવાનું કર્યું

વાંકાનેર તાલુકાના ઢુવા ગામે ખોડીયાર માતાજીના મંદિરમાં રહેતા યુવાને આર્થિક સંકળામણના કારણે ઘરકંકાશ રહેતો હતો જેનાથી કંટાળી જઈને રેલવે લાઈન ઉપરથી પસાર થતી ટ્રેન આડે પડતું મૂક્યું હતું જેથી તે યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું અને આ બનાવ અંગેની સ્ટેશન માસ્તર દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ વાંકાનેર તાલુકાના માટેલ ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાં રહેતા ધર્મેન્દ્રભાઈ ઉર્ફે કાળુ ભીમજીભાઇ મકવાણા જાતે લુહાર (૩૮) નામના યુવાને ઢુવા પાસે આવેલ અમૃત સિરામિક કારખાના પાછળથી પસાર થતી રેલ્વે લાઈન ઉપરથી જઈ રહેલ ટ્રેન આડે પડતું મૂક્યું હતું જેથી કરીને ધર્મેન્દ્રભાઈને માથામાં અને શરીરને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું આ બનાવની મકનસરના રેલ્વે સ્ટેશન માસ્તર સંતોષ બુધ્ધરામ સૈનીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાન કોઈ કામ ધંધો કરતો ન હોય આર્થિક સંકળામણના કારણે ઘરકંકાશ રહેતો હતો જેનાથી કંટાળી જઈને રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થતી રેલવે ટ્રેન આડે પડતું મૂકીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે તે અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે








Latest News