મોરબીના લીલપર ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું
વાંકાનેર: આર્થિક સંકળામણ-ઘરકંકાશના લીધે યુવાને ન કરવાનું કર્યું
SHARE
વાંકાનેર: આર્થિક સંકળામણ-ઘરકંકાશના લીધે યુવાને ન કરવાનું કર્યું
વાંકાનેર તાલુકાના ઢુવા ગામે ખોડીયાર માતાજીના મંદિરમાં રહેતા યુવાને આર્થિક સંકળામણના કારણે ઘરકંકાશ રહેતો હતો જેનાથી કંટાળી જઈને રેલવે લાઈન ઉપરથી પસાર થતી ટ્રેન આડે પડતું મૂક્યું હતું જેથી તે યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું અને આ બનાવ અંગેની સ્ટેશન માસ્તર દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ વાંકાનેર તાલુકાના માટેલ ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાં રહેતા ધર્મેન્દ્રભાઈ ઉર્ફે કાળુ ભીમજીભાઇ મકવાણા જાતે લુહાર (૩૮) નામના યુવાને ઢુવા પાસે આવેલ અમૃત સિરામિક કારખાના પાછળથી પસાર થતી રેલ્વે લાઈન ઉપરથી જઈ રહેલ ટ્રેન આડે પડતું મૂક્યું હતું જેથી કરીને ધર્મેન્દ્રભાઈને માથામાં અને શરીરને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું આ બનાવની મકનસરના રેલ્વે સ્ટેશન માસ્તર સંતોષ બુધ્ધરામ સૈનીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાન કોઈ કામ ધંધો કરતો ન હોય આર્થિક સંકળામણના કારણે ઘરકંકાશ રહેતો હતો જેનાથી કંટાળી જઈને રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થતી રેલવે ટ્રેન આડે પડતું મૂકીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે તે અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે