મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા રેલવે સ્ટેશન પાસે ધર્માદાના રૂપિયા બાબતે યુવાનને બે શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા


SHARE













મોરબીના પીપળીયા રેલવે સ્ટેશન પાસે ધર્માદાના રૂપિયા બાબતે યુવાનને બે શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા

મોરબી તાલુકાના પીપળીયા ગામ પાસેથી રેતીની ગાડીઓ પસાર થતી હોય છે ત્યારે તે ગાડીના ચાલકો પાસેથી મંદિર ફરતે વંડો બનાવવા માટે ધર્માદાના કામ માટે રૂપિયા ઉઘરાવવા બે શખ્સોને રાખવામાં આવ્યા હતા જે પૈકીના એક શખ્સે બીજા પાસે પૈસા હોય તે રૂપિયાની માંગણી કરતા તે બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ બે શખ્સોએ રૂપિયા માંગનારા યુાવનને પેટના ભાગે છરીના ઘા ઝીકી દિધા હતા જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં એક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના નીરૂબેનનગર વિસ્તારની અંદર રહેતા ફિરોજભાઈ હમજાનભાઈ કમોરા (33) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સલીમભાઈ અલીયાસાઇ કમોરા અને અનવરભાઈ ઇકબાલભાઇ કમોરાની સામે તેના ભાઈને અબ્દુલભાઇ કમોરાને છરી મારી હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ફરિયાદીના ભાઈ અબ્દુલભાઈ તથા આરોપી સલીમભાઈ બંને પીપળીયા ગામે મંદિર ફરતે વંડો બનાવવા સારું રેતીની ગાડીઓ ગામમાંથી નીકળે તેની પાસેથી ધર્માદાના રૂરિયા લાવે માટેનું કામ કરવા પૃથ્વીસિંહે હાજરીમાં રાખેલ હોય તે હાજરીના રૂપિયા સલીમ પાસેથી ફરિયાદીના ભાઈએ લેવાના બાકી હતા જેથી સલીમભાઈ પાસે રૂપિયાની માગણી કરી હતી ત્યારે અબ્દુલભાઈની સાથે સલીમભાઈ એ જપાજપી કરી હતી અને ત્યારબાદ સલીમભાઇએ અબ્દુલભાઈ ને પકડી રાખ્યા હતા અને અનવરભાએ તેને છરીના બે ઘા પડખાના ભાગે ઝીંકી દીધા માટે તેને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાર બાદ હાલમાં અબ્દુલભાઈના ભાઇએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સલીમભાઈ અને અનવરભાઇની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ કરેલ છે.








Latest News