મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મેયર સહિતની ટીમે પ્રસાદનું વિતરણ કર્યું મોરબીમહાપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેયરની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોરબી મહાપાલિકા દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને તેમાં મોરબી મહાપાલિકાના મે રેન્જ આઇજી ચિરાગ કોરડીયાનું મોરબીમાં સિરામિક એસો. દ્વારા ભગવાન રામની પ્રતિમા અર્પણ કરીને કરાયું સ્વાગત કચ્છ-મોરબીના રેન્જ આઇજી ચિરાગ કોરડીયા આજે મોરબીમાં: અધિકારીઓએ સાથે સમિક્ષા બેઠક યોજાઇ, ખનીજ માફિયાઓ સામે આકરી કાર્યવાહીના સંકેત મોરબીના રવાપર ગામે એસિડ પી ગયેલ નવોઢા બેભાન હાલતમાં સારવારમાં મોરબીના ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ રાખનારા વૃદ્ધને ધોકા વડે માર માર્યો મોરબીના ખાનપર ગામે રહેતા યુવાનને 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોર સામે ફરિયાદ મોરબીના નવા જાંબુડિયા ગામે માવતરના ઘરે રિસામણે બેઠેલ પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાંથી બિયરના ૬ ટીન  સાથે બે આરોપી ઝડપાયા: અકસ્માતના ગુનામાં રિક્ષા ચાલકની ધરપકડ


SHARE











મોરબીમાંથી બિયરના ૬ ટીન  સાથે બે આરોપી ઝડપાયા: અકસ્માતના ગુનામાં રિક્ષા ચાલકની ધરપકડ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખેવારીયા ગામ અને બરવાળા રેલ્વે સ્ટેશન વચ્ચેથી સીએનજી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રિક્ષામાં બેઠેલ વૃદ્ધા રિક્ષામાંથી નીચે પડી ગયા હતા જેથી તેમને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતી જેની મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાના નીરૂબેનનગરમાં રહેતા જાનમહંમદ સલેમાનભાઈ કમોરા જાતે વાઘેર (૪૧)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સીએનજી નંબર જીજે ૩૬ ડબલ્યુ ૪૫૧૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, ફરિયાદીના માતા આઈસાબેન સલેમાનભાઈ કમોરા (૬૦) રહે. નીરૂબેનનગર તાલુકો માળીયા મીયાણા વાળા આરોપીની રિક્ષામાં બેસીને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખેવારીયા ગામ થી બરવાળા રેલવે સ્ટેશન તરફ જવાના રસ્તા ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે રિક્ષામાંથી ફરિયાદીના માતા નીચે પડતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જે બનાવની ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એસ.એન. સગારકા અને રાઇટર જીતેન ગઢવી દ્વારા આરોપી રિક્ષા ચાલક પરેશ બાવજીભાઈ વાણોલ (૩૪) રહે. મૂળ ખાખરાળા હાલ જવાહર સોસાયટી મોરબી-૨ વાળાની ધરપકડ કરેલ છે

૬ બીયર સાથે બે પકડાયા
મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ ટી.કે. હોટલ નજીક બે શખ્સને રોકીને પોલીસે ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી બીયરના ૬ ટીન મળી આવ્યા હતા જેથી કરીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે આરોપી કુલદીપ જયંતીભાઈ ધોરીયાણી જાતે પટેલ (૨૬) રહે. વર્ધમાન એપાર્ટમેંટ પાસે રવાપર મોરબી અને રૂચિત ભરતભાઈ આઘારા જાતે પટેલ (૨૫) રહે.  શ્રીમદ સોસાયટી મોરબી-૨ વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૬૦૦ રૂપિયાની કિંમતના બીયરના ટીન કબજે કર્યા હતા






Latest News