લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

વાંકાનેરના જીનપરામાં જુગાર રમતા પાંચ જુગારીની ૧૨,૧૦૦ ની રોકડ સાથે ધરપકડ


SHARE

















વાંકાનેરના જીનપરામાં જુગાર રમતા પાંચ જુગારીની ૧૨,૧૦૦ ની રોકડ સાથે ધરપકડ

વાંકાનેરમાં જીનપરામાં આવેલ રામજી મંદિર ચોક પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગાની રેડ કરી હતી ત્યારે પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૨૧૦૦ ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરના જીનપરામાં આવેલ રામજી મંદિર પાસે ચોકમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જનકભાઈ પરસોતમભાઈ બાવળીયા (૩૭) રહે. જીનપરા શેરી નં-૧૨ વાંકાનેર, સુનિલભાઈ રમેશભાઈ રાણેવાડિયા (૨૦) રહે જીનપરા શેરી નં-૧૨ વાંકાનેર, રફિકભાઈ જુનાભાઈ કુરેશી (૨૨) રહે. જીનપરા શેરી નં-૧૦ વાંકાનેર, રમેશભાઈ રામજીભાઈ ડાભી (૩૪) રહે. જીનપરા શેરી નં-૧૨ વાંકાનેર અને હુસેનભાઈ વલીમહમદભાઈ શેખાણી (૩૬) રહે. જીનપરા શેરી નં-૨ વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૨,૧૦૦ ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આગ લાગતા ઘરમાં નુકશાન

મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ પારેખ શેરીમાં મકાનમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેથી કરીને મકાન સળગી ગયું હતું જે બનાવ સંદર્ભે ઘરધણી હર્ષાબેન નિલેશભાઈ પારેખ જાતે વાણીયા (૬૦) રહે. હાલ રાજકોટ યુનિવર્સિટી રોડ ગંગોત્રી પાર્ક મેઇન રોડ વિવાંતા અનંતા બિલ્ડીંગ ફ્લેટ નંબર ૧૪૦૪-૧૪ રાજકોટ મૂળ રહે. પારેખ શેરી ગ્રીન ચોક પાસે મોરબી વાળાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News