મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીમાં બાઇક સ્લીપ થવાની ચાર ઘટના: વૃદ્ધા, મહિલા અને બાળક સહિતના ચાર વ્યક્તિઓ સારવારમાં


SHARE











મોરબીમાં બાઇક સ્લીપ થવાની ચાર ઘટના: વૃદ્ધા, મહિલા અને બાળક સહિતના ચાર વ્યક્તિઓ સારવારમાં

મોરબી શહેરના જુદા જુદા ચાર વિસ્તારોની અંદર બાઈક સ્લીપ થવાની ઘટના બની હતી જેમાં ઇજા પામેલ વૃદ્ધા, મહિલા અને બાળક સહિતના ચાર વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવોની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીમાં વાંકાનેર દરવાજા પાસેથી બાઈક લઈને સૂરજકુમાર ધર્મેન્દ્રભાઈ તિવારી (૧૯) નામનો યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તેનું બાઈક સ્લીપ થયું હતું જેથી તે યુવાનને ઇજા થતાં સારવારમાં ખસેડાયો હતો આવી જ રીતે મોરબીના વાવડી રોડ ઉપર રહેતા પ્રવીણ રસાભાઈ અલગોતર (૧૩) નામનો બાળક બાઇકમાં પાછળના ભાગે બેસીને વાવડી રોડ ઉપર આવેલ દરગાહ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્માતે બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માતના બનાવમાં બાળકને ઇજા થઈ હતી તે ઉપરાંત મોરબીમાં છાત્રાલય રોડ ઉપર બાઈક સ્લીપ થવાનો બનાવ બન્યો હતો જેમાં કીર્તિબેન મહેન્દ્રભાઈ પંડયા (૫૩) નામના મહિલાને ઈજા થયો હોવાથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા તેમજ મોરબીના મહાવીરનગરમાં રામજી મંદિર પાસે પંચાસર રોડ ઉપર રહેતા કાંતાબેને લાલજીભાઈ કંઝારીયા (૬૭) નામના વૃદ્ધા તેના પૌત્ર સાથે બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે બાઇક સ્લીપ થયું હતું અને અકસ્માતના આ બનાવમાં તેઓને ઈજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં વૃદ્ધાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ ચારેય બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે






Latest News