મોરબી સહિત ગુજરાતના ખેડૂતોને વીજપોલ સામે વધુમાં વધુ વળતર મળે તે માટે ગાંધીનગર અને દિલ્હી સુધી જવાની રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ખેડૂતોને ખાતરી મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જેલ હવાલે કરતી હળવદ પોલીસ મોરબીમાં રહેતો ધાંગધ્રાનો યુવાન ગુમ, ગુમ થયેલી યુવતીની ભાળ મળી મોરબી જિલ્લામાં રોજગાર ભરતી મેળા યુવાનો માટે બન્યા રોજગારીનું માધ્યમ; મનપસંદ ક્ષેત્રમાં નોકરી મેળવી યુવાધન બન્યું સ્વનિર્ભર વર્ષ ૨૦૨૬-૨૭ અન્વયે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ‘આઇ-ખેડૂત’ પોર્ટલ પર ૧૪ જૂન સુધી ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીના જેતપર ગામે ખેડૂત અને કંપની વચ્ચે પોલના વળતરનો વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી કામ બંધ રાખવાની માંગ: ટ્રેકટર રેલી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના રાજપર (કું) ગામે વાડીના કૂવામાં પડી જવાથી માનસિક બીમાર યુવાનનું મોત મોરબીમાં ઘરેથી શાકભાજી લેવા નીકળેલા 8 વર્ષના બાળકનું અપહરણ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પાલિકાના હંગામી સફાઈ કામદારના કામમાં રૂકાવટ કરીને માર માર્યો : ગુનો નોંધાયો


SHARE











વાંકાનેરમાં પાલિકાના હંગામી સફાઈ કામદારના કામમાં રૂકાવટ કરીને માર માર્યો : ગુનો નોંધાયો

વાંકાનેરમાં મેહુલ ટેલીકોમની સામેની શેરીમાં સફાઈ કામ કરતા વાંકાનેર નગરપાલિકાના હંગામી સફાઈ કામદાર મહિલાને “તું અહીંયા બરોબર સફાઈ કામ કરતી નથી” તેમ કહીને ગાળો આપી હતી અને ઝપાઝપી કરી લાકડી વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ આંબેડકરનગર શેરી નં-૫ માં રહેતા શારદાબેન ચેતનભાઇ ચૌહાણ જાતે અનુ. જાતિ (૫૦) એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે સવજીભાઈ જેઠાભાઈ સારેસા રહે.આંબેડકરનગર વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે વાંકાનેરમાં મેહુલ ટેલિકોમની સામેની શેરીમાં તેઓ પાલિકાના હંગામી સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા ત્યારે ત્યાં આરોપીએ આવીને તેને કહ્યું હતું કે “તું અહીંયા બરોબર સફાઈ કરતી નથી” તેમ કહીને ફરિયાદીને ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને લાકડી વડે મુંઢ માર માર્યો હતો અને કામમાં અડચણ કરી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૧૮૬, ૫૦૪ તથા જી.પી એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

ફિનાઇલ પીધું

મોરબીના મહેન્દ્રપરાશ શેરી નં-૧૧ માં રહેતા સલમાબેન ફિરોજભાઈ બોબડીયા (૩૯) નામના મહિલા પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણસર તેને ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.






Latest News