મોરબી સહિત ગુજરાતના ખેડૂતોને વીજપોલ સામે વધુમાં વધુ વળતર મળે તે માટે ગાંધીનગર અને દિલ્હી સુધી જવાની રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ખેડૂતોને ખાતરી મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જેલ હવાલે કરતી હળવદ પોલીસ મોરબીમાં રહેતો ધાંગધ્રાનો યુવાન ગુમ, ગુમ થયેલી યુવતીની ભાળ મળી મોરબી જિલ્લામાં રોજગાર ભરતી મેળા યુવાનો માટે બન્યા રોજગારીનું માધ્યમ; મનપસંદ ક્ષેત્રમાં નોકરી મેળવી યુવાધન બન્યું સ્વનિર્ભર વર્ષ ૨૦૨૬-૨૭ અન્વયે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ‘આઇ-ખેડૂત’ પોર્ટલ પર ૧૪ જૂન સુધી ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીના જેતપર ગામે ખેડૂત અને કંપની વચ્ચે પોલના વળતરનો વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી કામ બંધ રાખવાની માંગ: ટ્રેકટર રેલી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના રાજપર (કું) ગામે વાડીના કૂવામાં પડી જવાથી માનસિક બીમાર યુવાનનું મોત મોરબીમાં ઘરેથી શાકભાજી લેવા નીકળેલા 8 વર્ષના બાળકનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીમાં પતિએ છોકરાને ઠપકો દેવાની ના પડતાં બોલાચાલી બાદ અજુગતુ પગલુ ભરી ગયેલ મહિલાનું મોત


SHARE











મોરબીમાં પતિએ છોકરાને ઠપકો દેવાની ના પડતાં બોલાચાલી બાદ અજુગતુ પગલુ ભરી ગયેલ મહિલાનું મોત

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મનીષ વિદ્યાલય પાસે ભગવતીપરામાં રહેતી મહિલા તેના સંતાનોને ઠપકો આપી રહી હતી ત્યારે તેના પતિએ ઠપકો આપવાની ના પડી હતી જેથી કરીને તેની સાથે બોલાચાલી થઈ હતી જે બાબતે તેને લાગી આવતાં મહિલાએ પોતાની જાતે ગળાફાંસો ખાધો હતો જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મનીષ વિદ્યાલય પાસે ભગવતીપરામાં રહેતા મંજુલાબેન દુદાભાઈ રાવા જાતે ભરવાડ (૩૫) નામની મહિલાએ પોતે પોતાના ઘરે હતી ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને અર્ધ બેભાન હાલતમાં પ્રથમ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી તેને સારવાર વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નિપજ્યું છે.જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ  ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની વધુમાં મોરબી સિટિ એ ડિવિજન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા પાસેથી જાણવા મળતી માહિતી મુજબ, મૃતક મંજુલાબેન તેમના છોકરાઓને ઠપકો આપતા હતા ત્યારે તેના પતિ દુદાભાઈ હીરાભાઈ રાવાએ છોકરાઓને ઠપકો દેવાની ના પાડી હતી જેથી કરીને પતિ અને પત્ની વચ્ચે બોલચાલી થઈ હતી તે બાબતે તેને લાગી આવતા ગત તા. ૨૧/૫ ના બપોરે દોઢ વાગ્યાના અરસામાં મહિલાએ પોતે પોતાના ઘરની અંદર રૂમની છતમાં લગાવેલ પંખા સાથે કપડું બાંધીને ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો જેથી કરીને તેને સારવારમાં મોરબી બાદ રાજકોટ લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું છે અને આ મહિલાનો લગ્ન ગાળો ૧૪ વર્ષનો છે જેની પણ પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News