મોરબીની એલ.ઈ. કોલેજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે
SHARE
મોરબીની એલ.ઈ. કોલેજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે
મોરબી એલ.ઈ. કોલેજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ‘કારકિર્દી માર્ગદર્શન સેમિનાર’માં ધોરણ ૧૦/ ITI પછી ડિપ્લોમા એંજીનીયરીંગમાં એડમિશન તથા વિદ્યાર્થીઓ/વાલીઓને મુંજવતા પ્રશ્ર્નો વિષેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે
એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ(ACPDC) અમદાવાદ દ્વારા નિયુક્ત નોડલ સંસ્થા, એલ. ઈ. કોલેજ(ડિપ્લોમા) મોરબી દ્વારા તા.૦૩/૦૬ ના રોજ સમય સવારે ૧૧:૩૦ કલાકે ‘કારકિર્દી માર્ગદર્શન સેમિનાર’નું આયોજન ITI કેમ્પસની બાજુમા, મહેંદ્રનગર પાણીની ટાંકી સામે, ઘુંટુ રોડ, મોરબી-૨(૩૬૩૬૪૨) ખાતે કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં કોલેજનાં એડમિશન વિભાગના નિષ્ણાંતો દ્વારા જુદી જુદી ડિપ્લોમાની શાખાઓની માહિતી, ધોરણ ૧૦ પછી અને ITI અભ્યાસ પછી ડિપ્લોમા એંજીનીયરીંગમાં કઈ રીતે એડમિશન મળી શકે અને તે માટે કરવી પડતી ઓનલાઈન પ્રક્રીયા તથા વાલીશ્રીઓનાં મુંજવતા પ્રશ્ર્નો અંગે માહિતી આપવામાં આવશે. જેથી ધોરણ ૧૦નો અભ્યાસક્રમ પુર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર’ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમનો વધુ ને વધુ લાભ લેવા એલ.ઈ. કોલેજ(ડિપ્લોમા)ના આચાર્યની યાદીમાં જણાવાયું છે