મોરબી જલારામ ધામ-જલારામ સેવા મંડળ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે ૨૮૫ દીવંગતોનુ અસ્થિઓનું સામૂહિક વિસર્જન કરાયું મોરબીમાં ઘરમાં જુગાર રમતા 7 શખ્સોની 25,500 ની રોકડ સાથે ધરપકડ માળીયા (મી)ના મોટા દહીસરા ગામનો બનાવ: કૌટુંબિક ભાઈએ પ્રેમલગ્ન કરતાં યુવતીના પિતા સહિત 8 શખ્સોએ યુવાનનું અપહરણ કરીને માર માર્યો મોરબીમાં જૂના મનદુખનો ખાર રાખીને દંપતીને ચાર મહિલા સહિત કુલ 5 લોકોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઇકો ગાડીનો ઓવરટેક કરવાની વાતનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુ-પાઇપ વડે માર માર્યો મોરબીમાં રહેતા મુમુક્ષુ વિધીબેન મહેતાનો ગૃહ ત્યાગ: 1 ફેબ્રુઆરીએ દીક્ષા અંગીકાર કરશે ટંકારાના ગણેશપર ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો, સ્કૂલબેગનું વિતરણ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ: તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના જૂની પીપળી ગામે પથરીની બીમારીથી કંટાળીને આધેડ મહિલાએ અણધાર્યું પગલું ભર્યું


SHARE











મોરબીના જૂની પીપળી ગામે પથરીની બીમારીથી કંટાળીને આધેડ મહિલાએ અણધાર્યું પગલું ભર્યું

મોરબી તાલુકાના જૂની પીપળી ગામે રહેતા આધેડ મહિલાએ પથરીની બીમારીથી કંટાળીને પોતે પોતાના ઘરની અંદર હતા ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તેના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

બનાવની જાણવા મળતી માહિતિ મુજબ મોરબીના જૂની પીપળી ગામે રહેતા કૈલાસબેન વલ્લભભાઈ જેઠલોજા જાતે પટેલ (૫૨) ને પથરીની બીમારી હોય તેનું ઓપરેશન કરાવેલ હતું જે પથરીની બીમારીથી કંટાળીને તેણે પોતે પોતાની જાતે પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાસુદેવભાઈ મહાદેવભાઈ જેઠલોજા જાતે પટેલ (૪૩) રહે. જૂની પીપળી ગામ વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની છે

અકસ્માતમાં ઇજા

ડીસાના રહેવાસી કુલદીપસિંહ દેવીસિંહ ઈસરાણી (૩૫) અને તેના દીકરા વિવાનરાજ કુલદીપસિંહ ઇસરાણી (૮) બંને કારમાં ડીસાથી મોરબી જતા હતા ત્યારે રસ્તામાં ગણોદર અને સામખયારી વચ્ચે માળિયા મીયાણા નજીક કાર પલટી ગઈ હતી જેથી કરીને અકસ્માતના બનાવમાં પિતા પુત્રને ઇજા થયેલ હોય ઇજા પામેલ હાલતમાં તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યો બાદ આ બનાવની પ્રથમ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને આ બનાવ કચ્છ વિસ્તારમાં બનેલો હોવાથી ત્યાં સ્થાનિક પોલીસને આ બનાવની જાણ કરવા માટે તજવીજ કરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના પાડાપુલ નીચેના ભાગમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રાકેશ કાળુભાઈ ડામોર (૨૩) નામના યુવાનને ઇજાઓ થયેલ હતી જેથી તેને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબી ખાતે લઈને આવ્યા હતા ત્યા સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક કપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી






Latest News