મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમ લગ્ન કરીને બહેન જતી રહેતા ગુમસૂમ રહેતા ભાઈએ જીવન ટૂંકાવ્યું


SHARE









મોરબીમાં પ્રેમ લગ્ન કરીને બહેન જતી રહેતા ગુમસૂમ રહેતા ભાઈએ જીવન ટૂંકાવ્યું

મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ મોટી હનુમાન શેરીમાં રહેતા યુવાનના બહેને એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરી લીધા હતા ત્યારથી યુવાને ગુમસૂમ રહેતો હતો અને તેને મનોમન લાગી આવતા તેણે પોતે પોતાની જાતે લાતી પ્લોટમાં આવેલ કારખાનાની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તે યુવાનના મૃતદેહને તેનો ભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસને તેના દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ ગ્રીનચોક પાસે મોટી હનુમાન શેરીમાં રહેતા પ્રિતેશભાઈ ભરતભાઈ દોશી જાતે વાણીયા (૨૮) નામના યુવાને મોરબીના લાતી પ્લોટ શેરી નંબર ૫-૬ ની વચ્ચે ભારતીય ચેમ્બરમાં આવેલ નીરવ આર્ટ નામના ઘડિયાળના કારખાનામાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક યુવાનનો ભાઈ મિતેશભાઇ ભરતભાઈ દોશી જાતે વાણીયા રહે. હાલ રંગપર વિરાટનગર મૂળ રહે. હનુમાન શેરી ગ્રીન ચોક પાસે મોરબી વાળા મોરબીના સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવ અંગેની મૃતક યુવાનના ભાઈ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવમાં વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાનના બહેને નિધિબેને એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરી લીધા હતા અને ઘરેથી જતા રહેલા હતા ત્યારથી મૃતક યુવાન ગુમસુમ રહેતો હતો અને તેને મનોમન લાગી આવતા તેને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધેલ છે તેવું તેના પરિવાર જણાવી રહ્યા છે જે અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે






Latest News