મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીના બે સિનિયર સિટીજનોએ બાઈક ઉપર કરી ચારધામની યાત્રા


SHARE





મોરબીના બે સિનિયર સિટીજનોએ બાઈક ઉપર કરી ચારધામની યાત્રા

ચારધામની યાત્રાનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મોટું મહત્વ દર્શાવવામાં આવ્યું છે અને હજારોની સંખ્યામાં લોકો ચારધામની યાત્રા કરવા માટે જતાં હોય છે પરંતું જો મોરબીની વાત કરીએ તો અહીથી તા.૮-૫ ના રોજ બે સિનિયર સિટીજન મિત્ર બાઈક ચારધામની યાત્રા કરવા માટે રવાના થયા હતા અને હાલમાં ૫૧૦૦ કિલોમીટર બાઇક ઉપર ફરીને ચારધામની યાત્રા પૂર્ણ કરીને તે બંને મોરબી આવી ગયેલ છે જેની તેઓના પરિવારજન પાસેથી મળેલ માહિતી મુજબ મોરબીમાં રહેતા રમણિકલાલ લોરીયા (૬૩) અને નારાયણભાઈ સંઘાણી (૬૮) તા.૮-૫ ના રોજ બાઈક ઉપર ડબલ  સવારીમાં ચારધામની યાત્રાએ નીકળ્યા હતા.તેઓએ ૨૭ દિવસમાં બાઈક ઉપર મોરબીથી નાથદ્વારાગોકુલ-મથુરાવૃંદાવનહરિદ્વારયમનોત્રીગંગોત્રીકેદારનાથબદ્રિનાથની યાત્રા પૂર્ણ કરેલ છે અને તેઓ તા.૩-૬ જૂનના રોજ મોરબી ઘરે આવી ગયેલ છે ત્યારે તેઓન પરિવારજનોએ સામૈયા કરીને તેમનું સ્વાગત કર્યું હતું.




Latest News