મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાના સ્મરણાર્થે 17 એપ્રિલે મહા રક્તદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલી યોજાઇ મોરબી મહાપાલિકાની ચૂંટણી: 8 દિવસમાં અંદાજે 10 કિલો મીટર વિસ્તારમાં પ્રચાર કરીને મત માટે ઉમેદવારે સરેરાશ 17 હજારથી વધુ મતદારોનો કરવાનો જનસંપર્ક ! મોરબીમાં બાળ કિશોર દારૂ ભરેલ કાર લઈને નીકળ્યો !: 5.15 લાખનો મુદામાલ કબ્જે: મહિલા સહિત 3 ની શોધખોળ વાંકાનેરમાં છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતીને ગંભીર ઇજા મોરબી નજીક રિક્ષામાંથી પડી જતાં ઇજા પામેલ મહિલાના મોત મામલે રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના બે સિનિયર સિટીજનોએ બાઈક ઉપર કરી ચારધામની યાત્રા


SHARE













મોરબીના બે સિનિયર સિટીજનોએ બાઈક ઉપર કરી ચારધામની યાત્રા

ચારધામની યાત્રાનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મોટું મહત્વ દર્શાવવામાં આવ્યું છે અને હજારોની સંખ્યામાં લોકો ચારધામની યાત્રા કરવા માટે જતાં હોય છે પરંતું જો મોરબીની વાત કરીએ તો અહીથી તા.૮-૫ ના રોજ બે સિનિયર સિટીજન મિત્ર બાઈક ચારધામની યાત્રા કરવા માટે રવાના થયા હતા અને હાલમાં ૫૧૦૦ કિલોમીટર બાઇક ઉપર ફરીને ચારધામની યાત્રા પૂર્ણ કરીને તે બંને મોરબી આવી ગયેલ છે જેની તેઓના પરિવારજન પાસેથી મળેલ માહિતી મુજબ મોરબીમાં રહેતા રમણિકલાલ લોરીયા (૬૩) અને નારાયણભાઈ સંઘાણી (૬૮) તા.૮-૫ ના રોજ બાઈક ઉપર ડબલ  સવારીમાં ચારધામની યાત્રાએ નીકળ્યા હતા.તેઓએ ૨૭ દિવસમાં બાઈક ઉપર મોરબીથી નાથદ્વારાગોકુલ-મથુરાવૃંદાવનહરિદ્વારયમનોત્રીગંગોત્રીકેદારનાથબદ્રિનાથની યાત્રા પૂર્ણ કરેલ છે અને તેઓ તા.૩-૬ જૂનના રોજ મોરબી ઘરે આવી ગયેલ છે ત્યારે તેઓન પરિવારજનોએ સામૈયા કરીને તેમનું સ્વાગત કર્યું હતું.






Latest News