મોરબી જીઆઇડીસી પાસે નવ બોટલ દારૂ સાથે બે પકડાયા વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીના બે સિનિયર સિટીજનોએ બાઈક ઉપર કરી ચારધામની યાત્રા


SHARE







મોરબીના બે સિનિયર સિટીજનોએ બાઈક ઉપર કરી ચારધામની યાત્રા

ચારધામની યાત્રાનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મોટું મહત્વ દર્શાવવામાં આવ્યું છે અને હજારોની સંખ્યામાં લોકો ચારધામની યાત્રા કરવા માટે જતાં હોય છે પરંતું જો મોરબીની વાત કરીએ તો અહીથી તા.૮-૫ ના રોજ બે સિનિયર સિટીજન મિત્ર બાઈક ચારધામની યાત્રા કરવા માટે રવાના થયા હતા અને હાલમાં ૫૧૦૦ કિલોમીટર બાઇક ઉપર ફરીને ચારધામની યાત્રા પૂર્ણ કરીને તે બંને મોરબી આવી ગયેલ છે જેની તેઓના પરિવારજન પાસેથી મળેલ માહિતી મુજબ મોરબીમાં રહેતા રમણિકલાલ લોરીયા (૬૩) અને નારાયણભાઈ સંઘાણી (૬૮) તા.૮-૫ ના રોજ બાઈક ઉપર ડબલ  સવારીમાં ચારધામની યાત્રાએ નીકળ્યા હતા.તેઓએ ૨૭ દિવસમાં બાઈક ઉપર મોરબીથી નાથદ્વારાગોકુલ-મથુરાવૃંદાવનહરિદ્વારયમનોત્રીગંગોત્રીકેદારનાથબદ્રિનાથની યાત્રા પૂર્ણ કરેલ છે અને તેઓ તા.૩-૬ જૂનના રોજ મોરબી ઘરે આવી ગયેલ છે ત્યારે તેઓન પરિવારજનોએ સામૈયા કરીને તેમનું સ્વાગત કર્યું હતું.






Latest News