મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો મોરબી જીલ્લામાં રેડ કરીને 3 બાળકોને ભિક્ષાવૃત્તિ કરતા અટકાવાયા નેશનલ ડોક્ટર્સ ડે: મોરબી મહાપાલિકા-આઇએમએ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઇન્ડિયન લાયન્સના ૩૦ માં ફાઉન્ડેશન-ડે ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી મોરબી જિલ્લામાં સીએ-સીએસનો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને 15 હજારની શિષ્યવૃત્તિ અપાશે: જીલ્લા પંચાયત
Breaking news
Morbi Today

મોરબીના અગ્રણી સોની વેપારીના પુત્રનું એમપીના ખંડવા નજીક માર્ગ અકસ્માતમાં નિધન


SHARE

















મોરબીના અગ્રણી સોની વેપારીના પુત્રનું એમપીના ખંડવા નજીક માર્ગ અકસ્માતમાં નિધન

મોરબીના અગ્રણી સોની વેપારીનો દીકરો ધંધાના કામે એમપીમાં ગયો હતો દરમિયાન મંગળવારના રોજ એમપીના ખંડવામાં કાર અકસ્માત થયો હતો જેમાં સોની યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને આ બનાવમાં અન્ય બે યુવાનોને ઇજા થયેલ છે જેથી તેને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નહેરૂગેઈટ ચોક ખાતે શ્રીજી જ્વેલર્સ નામની દુકાન ધરાવનાર અગ્રણી સોની વેપારી મહેન્દ્રભાઈ રાણપરાનો નાનો દીકરો રવિનભાઈ મહેન્દ્રભાઈ રાણપરા તેના બે કૌટંબીક સગાઓની સાથે ધંધાના કામકાજે એમપી ગયો હતો.ત્યારે બરહાનપુરથી ખંડવા તરફ તેઓ કારમાં જઈ રહ્યા હતા.ત્યારે ખંડવા જિલ્લાના રૂસ્તમપુર ગામ પાસે કાર ડિવાઈડર સાથે અથડાઇ હતી જેથી કરીને અકસ્માત થયો હતો અને તેમાં રવિનભાઈ મહેન્દ્રભાઈ રાણપરાને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જો કે, કેવલ નરેન્દ્રભાઈ અને મૌલિક અશોકભાઈ નામના બે વેપારી યુવકોને ઈજા થવાથી તેને ખંડવા જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને મૃતક રવિનભાઈ રાણપરાના મૃતદેહને મોરબી લઈ આવ્યા હતા ત્યારે પરિવારજનો ઉપર આભ ફાટી પડ્યું હતું અને રાણપરા પરિવાર તેમજ સોની સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.વધુમાં મળતી માહિતી મુજબ મૃતક રવિનભાઈ રાણપરાને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે તેને આ અકસ્માતના બનાવના લીધે પિતાની છત્રછાયા ગુમાવી છે.

શેરીમાં કચરો વાળવા બાબતે મારામારીમાં ચારને ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારના સાંઈબાબા મંદિર પાસે રહેતા બે પરિવારો વચ્ચે શેરીમાં કચરો વાળવા બાબતે બોલાચાલી થયા બાદ સામસામી મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઇજાઓ થવાથી પાયલ જગદીશભાઈ પંડ્યા (ઉંમર ૨૦), હંસાબેન જગદીશભાઈ પંડ્યા (ઉમર ૪૦) અને સામેવાળા નૌસાદ હારૂનભાઇ અજમેરી (ઉમર ૪૦) તથા સલમાબેન નૌસાદભાઈ અજમેરી (ઉમર ૩૭) ને ઇજાઓ થવાથી ચારેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.



Latest News