વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે વાડી પાસે જુગાર રમતા 5 શખ્સો 1.05 લાખની રોકડ સાથે પકડાયા અધીકારી-કોન્ટ્રાકટરની બેદરકારીએ જીવ લીધો: મોરબીના પીપળી રોડ ઉપર બાઈક ખાડામાં પડતા યુવાનનું મોત મોરબીમાં યુવાનને વગર વાંકે હાથમાં પહેરવાનો પંચ મારીને ઇજા કરનારા સામે પોલીસ કાર્યવાહી મોરબીની સબ જેલમાંથી અગાઉ જડતી સ્કવોર્ડની ટીમે શોધી કાઢેલ એક મોબાઈલની તપાસમાં પોલીસ કાર્યવાહી હળવદ પાલિકા ખાતે આજથી 3 દિવસ વૃદ્ધ-વિધવા સહાય યોજનાના લાભાર્થીઓ માટે E-KYC વિશેષ કેમ્પ આયોજન વાંકાનેરના ગુંદાખડા ગામની સીમમાં વાડીના મકાનમાંથી દારૂ-બિયરની 531 પેટીઓ સાથે બે આરોપીની ધરપકડ, 29.47 લાખનો મુદામાલ કબ્જે: બેની શોધખોળ મોરબીમાં જન્મદિવસની અનોખી ઉજવણી : વૃદ્ધાશ્રમમાં સેવા કરીને વિદ્યાર્થીએ આપ્યો માનવતાનો સંદેશ મોરબી: મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 9 દિવસ કાબુમાં આવી !: આગ લાગવાનુ કારણ હજુ પણ અકબંધ
Breaking news
Morbi Today

વાંકાનેર કોંગ્રેસ દ્વારા નીટની પરીક્ષામાં ગોટાળા કરનારા દોષિતો સામે પગલાં લેવાની માંગ


SHARE







વાંકાનેર કોંગ્રેસ દ્વારા નીટની પરીક્ષામાં ગોટાળા કરનારા દોષિતો સામે પગલાં લેવાની માંગ

નીટની પરીક્ષામાં ગોટાળા કરવામાં આવેલ છે જેથી કરીને વાંકાનેર શહેર તથા તાલુકા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને પ્રાંત અધિકારી મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને. આ ગોટાળામાં જે કોઈપણ સંડોવાયેલ હોય તે તમામ દોષિતો સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી અને ફરીથી પરીક્ષા લેવામાં આવે તેવી પણ માંગ કરી છે.

વાંકાનેરમાં ગઇકાલે ગુજરાત યુવક કોંગ્રેસના પ્રદેશ મંત્રી અને મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ડો. રૂકમુદ્દીન માથકીયા, વાંકાનેર કોંગ્રેસ સમિતિના શકીલ પીરઝાદા, ગુલામભાઈ પરાસરા, અરવિંદભાઈ આંબલીયા, આબિદ ગઢવાળા સહિતના આગેવાનો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યુ છે કે, નીટ-યુજી જેવી પરીક્ષામાં ગોટાળાઓ થાય તે અતિ ગંભીર બાબત છે. આ પરીક્ષામાં અનેક ક્ષતિઓ સામે આવી છે. આ માનવીય ભુલો નથી પણ જાણી જોઈને કરાયેલો એક ગંભીર ગુનો છે. પ્રશ્નપત્ર કેવી રીતે લીક થયું તે અંગે પણ કોંગ્રેસ દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા છે.

ગોધરામાં પૈસા લઈને આખું સેન્ટર વેચાઈ ગયું તેના પર પણ કોંગ્રેસે પ્રહાર કર્યા હતા અને પરીક્ષા લેનાર નીટની દર વર્ષે કોઈને કોઈ ગેરરીતિ સામે આવે છે જેથી તે પરીક્ષાનું આયોજન કરવા માટે સક્ષમ નથી. તેવું પણ રજૂઆત કરી છે. અને હાલમાં પરીક્ષામાં ગોટાળા કરવામાં આવેલ છે જેથી કરીને પરીક્ષા ફરીથી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અને પરીક્ષામાં ગોટાળાઓ કરનાર દોષિતો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.






Latest News