જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

વાંકાનેર કોંગ્રેસ દ્વારા નીટની પરીક્ષામાં ગોટાળા કરનારા દોષિતો સામે પગલાં લેવાની માંગ


SHARE













વાંકાનેર કોંગ્રેસ દ્વારા નીટની પરીક્ષામાં ગોટાળા કરનારા દોષિતો સામે પગલાં લેવાની માંગ

નીટની પરીક્ષામાં ગોટાળા કરવામાં આવેલ છે જેથી કરીને વાંકાનેર શહેર તથા તાલુકા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને પ્રાંત અધિકારી મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને. આ ગોટાળામાં જે કોઈપણ સંડોવાયેલ હોય તે તમામ દોષિતો સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી અને ફરીથી પરીક્ષા લેવામાં આવે તેવી પણ માંગ કરી છે.

વાંકાનેરમાં ગઇકાલે ગુજરાત યુવક કોંગ્રેસના પ્રદેશ મંત્રી અને મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ડો. રૂકમુદ્દીન માથકીયા, વાંકાનેર કોંગ્રેસ સમિતિના શકીલ પીરઝાદા, ગુલામભાઈ પરાસરા, અરવિંદભાઈ આંબલીયા, આબિદ ગઢવાળા સહિતના આગેવાનો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યુ છે કે, નીટ-યુજી જેવી પરીક્ષામાં ગોટાળાઓ થાય તે અતિ ગંભીર બાબત છે. આ પરીક્ષામાં અનેક ક્ષતિઓ સામે આવી છે. આ માનવીય ભુલો નથી પણ જાણી જોઈને કરાયેલો એક ગંભીર ગુનો છે. પ્રશ્નપત્ર કેવી રીતે લીક થયું તે અંગે પણ કોંગ્રેસ દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા છે.

ગોધરામાં પૈસા લઈને આખું સેન્ટર વેચાઈ ગયું તેના પર પણ કોંગ્રેસે પ્રહાર કર્યા હતા અને પરીક્ષા લેનાર નીટની દર વર્ષે કોઈને કોઈ ગેરરીતિ સામે આવે છે જેથી તે પરીક્ષાનું આયોજન કરવા માટે સક્ષમ નથી. તેવું પણ રજૂઆત કરી છે. અને હાલમાં પરીક્ષામાં ગોટાળા કરવામાં આવેલ છે જેથી કરીને પરીક્ષા ફરીથી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અને પરીક્ષામાં ગોટાળાઓ કરનાર દોષિતો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.






Latest News