મોરબીમાં રાત્રિ દરમિયાન સગીરાનું અપહરણ: પોકસો, એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીની એલ.ઇ. અને અમદાવાદની એલ. ડી. કોલેજનું ૧૦ કરોડના ખર્ચે હેરિટેજ રિસ્ટોરેશન કરાશે મોરબીના રફાળેશ્વર નજીક આવેલ પેપર મીલમાં રહેતો યુવાન એસિડ પી જતાં સારવારમાં મોરબીના જેતપર ગામે અજાણી કાર ચાલકે ધૂળેટી રમતા બાળકને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં આજે બે સ્મશાન ગૃહમાં નવી ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી-નવા પ્રાર્થના હોલનું ધારાસભ્ય લોકાર્પણ કરશે મોરબીમાં શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા કાલે પ્રથમ સમુહલગ્નનું આયોજન: ૫ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે  મોરબીના બંધુનગર ગામની શાળાના શિક્ષકે જન્મ દિવસની કરી પ્રેરણાદાયી ઉજવણી ટંકારાના લજાઈ નજીક કોમ્પલેક્ષની છત ઉપરથી દારૂની 192 બોટલ રેઢી મળી !: બુટલેગરની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેર કોંગ્રેસ દ્વારા નીટની પરીક્ષામાં ગોટાળા કરનારા દોષિતો સામે પગલાં લેવાની માંગ


SHARE











વાંકાનેર કોંગ્રેસ દ્વારા નીટની પરીક્ષામાં ગોટાળા કરનારા દોષિતો સામે પગલાં લેવાની માંગ

નીટની પરીક્ષામાં ગોટાળા કરવામાં આવેલ છે જેથી કરીને વાંકાનેર શહેર તથા તાલુકા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને પ્રાંત અધિકારી મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને. આ ગોટાળામાં જે કોઈપણ સંડોવાયેલ હોય તે તમામ દોષિતો સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી અને ફરીથી પરીક્ષા લેવામાં આવે તેવી પણ માંગ કરી છે.

વાંકાનેરમાં ગઇકાલે ગુજરાત યુવક કોંગ્રેસના પ્રદેશ મંત્રી અને મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ડો. રૂકમુદ્દીન માથકીયા, વાંકાનેર કોંગ્રેસ સમિતિના શકીલ પીરઝાદા, ગુલામભાઈ પરાસરા, અરવિંદભાઈ આંબલીયા, આબિદ ગઢવાળા સહિતના આગેવાનો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યુ છે કે, નીટ-યુજી જેવી પરીક્ષામાં ગોટાળાઓ થાય તે અતિ ગંભીર બાબત છે. આ પરીક્ષામાં અનેક ક્ષતિઓ સામે આવી છે. આ માનવીય ભુલો નથી પણ જાણી જોઈને કરાયેલો એક ગંભીર ગુનો છે. પ્રશ્નપત્ર કેવી રીતે લીક થયું તે અંગે પણ કોંગ્રેસ દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા છે.

ગોધરામાં પૈસા લઈને આખું સેન્ટર વેચાઈ ગયું તેના પર પણ કોંગ્રેસે પ્રહાર કર્યા હતા અને પરીક્ષા લેનાર નીટની દર વર્ષે કોઈને કોઈ ગેરરીતિ સામે આવે છે જેથી તે પરીક્ષાનું આયોજન કરવા માટે સક્ષમ નથી. તેવું પણ રજૂઆત કરી છે. અને હાલમાં પરીક્ષામાં ગોટાળા કરવામાં આવેલ છે જેથી કરીને પરીક્ષા ફરીથી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અને પરીક્ષામાં ગોટાળાઓ કરનાર દોષિતો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.








Latest News