ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી કાચા-પાકા 15 જેટલા દબાણોનો સફાયો વાંકાનેરના જુના લાલપર ગામે ઘર પાસેથી ઓટો રીક્ષા ની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેર કોંગ્રેસ દ્વારા નીટની પરીક્ષામાં ગોટાળા કરનારા દોષિતો સામે પગલાં લેવાની માંગ


SHARE











વાંકાનેર કોંગ્રેસ દ્વારા નીટની પરીક્ષામાં ગોટાળા કરનારા દોષિતો સામે પગલાં લેવાની માંગ

નીટની પરીક્ષામાં ગોટાળા કરવામાં આવેલ છે જેથી કરીને વાંકાનેર શહેર તથા તાલુકા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને પ્રાંત અધિકારી મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને. આ ગોટાળામાં જે કોઈપણ સંડોવાયેલ હોય તે તમામ દોષિતો સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી અને ફરીથી પરીક્ષા લેવામાં આવે તેવી પણ માંગ કરી છે.

વાંકાનેરમાં ગઇકાલે ગુજરાત યુવક કોંગ્રેસના પ્રદેશ મંત્રી અને મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ડો. રૂકમુદ્દીન માથકીયા, વાંકાનેર કોંગ્રેસ સમિતિના શકીલ પીરઝાદા, ગુલામભાઈ પરાસરા, અરવિંદભાઈ આંબલીયા, આબિદ ગઢવાળા સહિતના આગેવાનો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યુ છે કે, નીટ-યુજી જેવી પરીક્ષામાં ગોટાળાઓ થાય તે અતિ ગંભીર બાબત છે. આ પરીક્ષામાં અનેક ક્ષતિઓ સામે આવી છે. આ માનવીય ભુલો નથી પણ જાણી જોઈને કરાયેલો એક ગંભીર ગુનો છે. પ્રશ્નપત્ર કેવી રીતે લીક થયું તે અંગે પણ કોંગ્રેસ દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા છે.

ગોધરામાં પૈસા લઈને આખું સેન્ટર વેચાઈ ગયું તેના પર પણ કોંગ્રેસે પ્રહાર કર્યા હતા અને પરીક્ષા લેનાર નીટની દર વર્ષે કોઈને કોઈ ગેરરીતિ સામે આવે છે જેથી તે પરીક્ષાનું આયોજન કરવા માટે સક્ષમ નથી. તેવું પણ રજૂઆત કરી છે. અને હાલમાં પરીક્ષામાં ગોટાળા કરવામાં આવેલ છે જેથી કરીને પરીક્ષા ફરીથી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અને પરીક્ષામાં ગોટાળાઓ કરનાર દોષિતો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.






Latest News