ડૉક્યુમેન્ટ આપતા પહેલા સાવધાન: મોરબીમાં ઇંસ્ટંટ લોનના નામે બે વેપારી સાથે છેતરપિંડી કરનાર પકડાયો મોરબી જૈન સંઘના આંગણે ઐતિહાસિક આનંદોત્સવની ઉજવણી કરવામાં આવી મોરબીમાં ફ્રેન્ડ્સ ગૃપ દ્વારા ઓપન મોરબી ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ મોરબીમાં ગેરકાયદે ફેલ્સપાર ખનીજનો જથ્થો રાખીને વેચાણ કરતી બે પેઢીને 2.63 કરોડથી વધુનો દંડ મોરબીની મયુર હોસ્પિટલ ખાતે સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા કાર્યરત કરાયેલ ડાયાલિસિસ સેન્ટર રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ખુલ્લુ મૂક્યું મોરબીના અંદરણા ગામ પાસે રેઢી પડેલી કારમાંથી દારૂની 960 બોટલ ઝડપાઈ: 3.76 લાખનો મુદ્દામાલ કબજે મોરબીમાં રહેતી હળવદની યુવતી ઉપર બે સંતાનોના પિતા દ્વારા દુષ્કર્મ, આરોપીની ધરપકડ માળીયા મીયાણાના નાના દહીસરા ગામે મંદિરમાંથી ચાંદીના 13 છતરની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેર કોંગ્રેસ દ્વારા નીટની પરીક્ષામાં ગોટાળા કરનારા દોષિતો સામે પગલાં લેવાની માંગ


SHARE











વાંકાનેર કોંગ્રેસ દ્વારા નીટની પરીક્ષામાં ગોટાળા કરનારા દોષિતો સામે પગલાં લેવાની માંગ

નીટની પરીક્ષામાં ગોટાળા કરવામાં આવેલ છે જેથી કરીને વાંકાનેર શહેર તથા તાલુકા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને પ્રાંત અધિકારી મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને. આ ગોટાળામાં જે કોઈપણ સંડોવાયેલ હોય તે તમામ દોષિતો સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી અને ફરીથી પરીક્ષા લેવામાં આવે તેવી પણ માંગ કરી છે.

વાંકાનેરમાં ગઇકાલે ગુજરાત યુવક કોંગ્રેસના પ્રદેશ મંત્રી અને મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ડો. રૂકમુદ્દીન માથકીયા, વાંકાનેર કોંગ્રેસ સમિતિના શકીલ પીરઝાદા, ગુલામભાઈ પરાસરા, અરવિંદભાઈ આંબલીયા, આબિદ ગઢવાળા સહિતના આગેવાનો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યુ છે કે, નીટ-યુજી જેવી પરીક્ષામાં ગોટાળાઓ થાય તે અતિ ગંભીર બાબત છે. આ પરીક્ષામાં અનેક ક્ષતિઓ સામે આવી છે. આ માનવીય ભુલો નથી પણ જાણી જોઈને કરાયેલો એક ગંભીર ગુનો છે. પ્રશ્નપત્ર કેવી રીતે લીક થયું તે અંગે પણ કોંગ્રેસ દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા છે.

ગોધરામાં પૈસા લઈને આખું સેન્ટર વેચાઈ ગયું તેના પર પણ કોંગ્રેસે પ્રહાર કર્યા હતા અને પરીક્ષા લેનાર નીટની દર વર્ષે કોઈને કોઈ ગેરરીતિ સામે આવે છે જેથી તે પરીક્ષાનું આયોજન કરવા માટે સક્ષમ નથી. તેવું પણ રજૂઆત કરી છે. અને હાલમાં પરીક્ષામાં ગોટાળા કરવામાં આવેલ છે જેથી કરીને પરીક્ષા ફરીથી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અને પરીક્ષામાં ગોટાળાઓ કરનાર દોષિતો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.






Latest News