પોલીસની આબરૂનું ધોવાણ: મોરબીના વાડી વિસ્તારમાં પતિના ગળા ઉપર છરી મૂકીને મહિલા સાથે વારાફરતી પાંચ શખ્સોએ આચર્યું સામૂહિક દુષ્કર્મ મોરબીમાં માતાની યાદ આવતી હોય ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર યુવતી ગુમ મોરબી સબ જેલમાં ધબધબાટી, વાપરવા આપેલ શેમ્પૂ પરત માંગતા એક કેદીને બીજા કેદીએ માર માર્યો ! વાંકાનેર નજીક બાઇક થાંભલા સાથે અથડાયા બાદ બીજા બાઈકમાં અથડાતાં દંપતીને ઇજા: અકસ્માત સર્જનાર વાહન ચાલકનું મોત મોરબીના વીસીપરામાં જમાઈના કૌટુંબિક ભાઈએ યુવાનને છાતીમાં પથ્થર મારીને આપી મારી નાખવાની ધમકી મોરબીમાં ધોળા દિવસે પતિ સાથે એક્ટિવમાં જઈ રહેલા મહિલાના ગળામાંથી 1.75 લાખના સોનાના ચેનની ચીલ ઝડપ કરનાર આરોપી ઝડપાયો મોરબીમાં પૈસાની તંગીથી કંટાળીને વેપારી યુવાને કર્યો આપઘાત: ગોરી ઘનશ્યામપુર ગામે રહેતી યુવતીએ જીવન ટૂંકાવ્યું ખાનગી વીજ કંપની પોલ ઊભા કરતાં પહેલા વળતર આપે: ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની આગેવાનીમાં મોરબીના જેતપર ગામે યોજાયેલ સભામાં ખેડૂતોની એક જ માંગ
Breaking news
Morbi Today

વાંકાનેર કોંગ્રેસ દ્વારા નીટની પરીક્ષામાં ગોટાળા કરનારા દોષિતો સામે પગલાં લેવાની માંગ


SHARE











વાંકાનેર કોંગ્રેસ દ્વારા નીટની પરીક્ષામાં ગોટાળા કરનારા દોષિતો સામે પગલાં લેવાની માંગ

નીટની પરીક્ષામાં ગોટાળા કરવામાં આવેલ છે જેથી કરીને વાંકાનેર શહેર તથા તાલુકા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને પ્રાંત અધિકારી મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને. આ ગોટાળામાં જે કોઈપણ સંડોવાયેલ હોય તે તમામ દોષિતો સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી અને ફરીથી પરીક્ષા લેવામાં આવે તેવી પણ માંગ કરી છે.

વાંકાનેરમાં ગઇકાલે ગુજરાત યુવક કોંગ્રેસના પ્રદેશ મંત્રી અને મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ડો. રૂકમુદ્દીન માથકીયા, વાંકાનેર કોંગ્રેસ સમિતિના શકીલ પીરઝાદા, ગુલામભાઈ પરાસરા, અરવિંદભાઈ આંબલીયા, આબિદ ગઢવાળા સહિતના આગેવાનો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યુ છે કે, નીટ-યુજી જેવી પરીક્ષામાં ગોટાળાઓ થાય તે અતિ ગંભીર બાબત છે. આ પરીક્ષામાં અનેક ક્ષતિઓ સામે આવી છે. આ માનવીય ભુલો નથી પણ જાણી જોઈને કરાયેલો એક ગંભીર ગુનો છે. પ્રશ્નપત્ર કેવી રીતે લીક થયું તે અંગે પણ કોંગ્રેસ દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા છે.

ગોધરામાં પૈસા લઈને આખું સેન્ટર વેચાઈ ગયું તેના પર પણ કોંગ્રેસે પ્રહાર કર્યા હતા અને પરીક્ષા લેનાર નીટની દર વર્ષે કોઈને કોઈ ગેરરીતિ સામે આવે છે જેથી તે પરીક્ષાનું આયોજન કરવા માટે સક્ષમ નથી. તેવું પણ રજૂઆત કરી છે. અને હાલમાં પરીક્ષામાં ગોટાળા કરવામાં આવેલ છે જેથી કરીને પરીક્ષા ફરીથી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અને પરીક્ષામાં ગોટાળાઓ કરનાર દોષિતો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.






Latest News