પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય દિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત મોરબીના મકનસર પાસેથી દારૂની ૧૦૨ બોટલ પકડવાના ગુનામાં મહિલા સહિત કુલ ત્રણ આરોપી પકડાયા મોરબી : બી.આર.સી. ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો મોરબીના બરવાળા ગામે યુવાનને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસે રોડ ક્રોસ કરવા ઉભેલા યુવાન ઉપર ક્રેન પડી !: ટ્રક ચાલકે અકસ્માત સર્જતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં મોરબીના નવા સાદુળકા ગામ પાસે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેર કોંગ્રેસ દ્વારા નીટની પરીક્ષામાં ગોટાળા કરનારા દોષિતો સામે પગલાં લેવાની માંગ


SHARE















વાંકાનેર કોંગ્રેસ દ્વારા નીટની પરીક્ષામાં ગોટાળા કરનારા દોષિતો સામે પગલાં લેવાની માંગ

નીટની પરીક્ષામાં ગોટાળા કરવામાં આવેલ છે જેથી કરીને વાંકાનેર શહેર તથા તાલુકા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને પ્રાંત અધિકારી મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને. આ ગોટાળામાં જે કોઈપણ સંડોવાયેલ હોય તે તમામ દોષિતો સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી અને ફરીથી પરીક્ષા લેવામાં આવે તેવી પણ માંગ કરી છે.

વાંકાનેરમાં ગઇકાલે ગુજરાત યુવક કોંગ્રેસના પ્રદેશ મંત્રી અને મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ડો. રૂકમુદ્દીન માથકીયા, વાંકાનેર કોંગ્રેસ સમિતિના શકીલ પીરઝાદા, ગુલામભાઈ પરાસરા, અરવિંદભાઈ આંબલીયા, આબિદ ગઢવાળા સહિતના આગેવાનો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યુ છે કે, નીટ-યુજી જેવી પરીક્ષામાં ગોટાળાઓ થાય તે અતિ ગંભીર બાબત છે. આ પરીક્ષામાં અનેક ક્ષતિઓ સામે આવી છે. આ માનવીય ભુલો નથી પણ જાણી જોઈને કરાયેલો એક ગંભીર ગુનો છે. પ્રશ્નપત્ર કેવી રીતે લીક થયું તે અંગે પણ કોંગ્રેસ દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા છે.

ગોધરામાં પૈસા લઈને આખું સેન્ટર વેચાઈ ગયું તેના પર પણ કોંગ્રેસે પ્રહાર કર્યા હતા અને પરીક્ષા લેનાર નીટની દર વર્ષે કોઈને કોઈ ગેરરીતિ સામે આવે છે જેથી તે પરીક્ષાનું આયોજન કરવા માટે સક્ષમ નથી. તેવું પણ રજૂઆત કરી છે. અને હાલમાં પરીક્ષામાં ગોટાળા કરવામાં આવેલ છે જેથી કરીને પરીક્ષા ફરીથી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અને પરીક્ષામાં ગોટાળાઓ કરનાર દોષિતો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.






Latest News