મોરબીના પ્રાંત અધિકારી તરીકે પ્રવીણસિંહ ડી. જૈતાવત મુકાયા: સુશીલકુમારની જુનાગઢ બદલી મોરબીના ખેડૂત પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી લીંબુની સફળ ખેતી: ૧ લાખથી વધુની આવક મેળવી મોરબીમાં બેંકમાં દાવા વિનાના નાણાં લોકોને પરત કરવા બાબતે માર્ગદર્શન આપવા કેમ્પ યોજાશે મોરબીના સિરામિક ઉદ્યોગને GST ના 5 ટકાના સ્લેબમાં રાખો, ઝૂલતા પુલના હતભાગીઓના પરિવારને ન્યાય આપો: અમિતભાઈ ચાવડા કમોસમી વરસાદથી સર્જાયેલ ખેડૂતોની મજાક ઉડાવતા મંત્રીઓને જોઈને ખેડૂતો કહે છે, ગુજરાતમાં નેપાળ વાળી થાય તો નવાઈ નથી: પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા મોરબીમાં ઘરે એસિડ પી ગયેલા વૃદ્ધાનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબીમાં પતિને વારંવાર ફોન કરતી પત્નીને ઠપકો આપતા મહિલાએ અણધાર્યું પગલું ભર્યું આજે મોરબીમાં જલારામ જયંતિ નિમિતે યોજાનાર જલારામ બાપાની શોભાયાત્રામાં રઘુવંશી પરિવારોને જોડાવા આહ્વાન
Breaking news
Morbi Today

હળવદનાં મયુરનગર પાસે બેઠો પુલ ધોવાયો, ગામ સંપર્ક વિહોણું: ઇસનપુર પાસે પણ વોકળોમાં પાણી આવી જતાં લોકો હેરાન


SHARE



























હળવદનાં મયુરનગર પાસે બેઠો પુલ ધોવાયો, ગામ સંપર્ક વિહોણું: ઇસનપુર પાસે પણ વોકળોમાં પાણી આવી જતાં લોકો હેરાન

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં છેલ્લી 24 કલાકમાં અઢી ઇંચ વરસાદ નોંધાયેલ છે તેવામાં હળવદ તાલુકાનાં રાયસંગપર અને મયુરનગર ગામ વચ્ચે બેઠો પુલ આવેલ છે તે ભારે વરસાદના લીધે ધોવાઈ ગયેલ છે જેથી કરીને મયુરનગર ગામોનો સંપર્ક તૂટી ગયેલ છે આવી જ રીતે ઇસનપુર નજીક વોકળામાં વરસાદી પાણી ભરાઈ ગયેલ છે જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે.

હળવદ તાલુકામાં ગઇકાલે દિવસે અને રાતે સારો વરસાદ પડ્યો હતો જેથી કરીને સ્થાનિક જળાશયોમાં પાણીની આવક થયેલ છે જો કે, બ્રાહ્મણી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો જેથી કરીને મયુરનગર અને રાયસંગપર વચ્ચે આવેલ બેઠો પુલ તૂટી ગયેલ છે જેથી મયુરનગર ગામ હાલમાં સંપર્ક વિહોણું બન્યું છે. વધુમાં સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ પુલ ત્રણ વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો હતો અને હાલમાં સિઝનના પહેલા જ સારા વરસદમાં પુલનું ધોવાણ થઈ ગયેલ છે. અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસામાં આવી પરિસ્થિતિ હોય છે જેથી ત્યાં મોટો પુલ બનાવવાની માંગ કરવામાં આવે છે પણ તેને ધ્યાને લેવામાં આવી રહી નથી.






Latest News