મોરબીના પ્રાંત અધિકારી તરીકે પ્રવીણસિંહ ડી. જૈતાવત મુકાયા: સુશીલકુમારની જુનાગઢ બદલી મોરબીના ખેડૂત પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી લીંબુની સફળ ખેતી: ૧ લાખથી વધુની આવક મેળવી મોરબીમાં બેંકમાં દાવા વિનાના નાણાં લોકોને પરત કરવા બાબતે માર્ગદર્શન આપવા કેમ્પ યોજાશે મોરબીના સિરામિક ઉદ્યોગને GST ના 5 ટકાના સ્લેબમાં રાખો, ઝૂલતા પુલના હતભાગીઓના પરિવારને ન્યાય આપો: અમિતભાઈ ચાવડા કમોસમી વરસાદથી સર્જાયેલ ખેડૂતોની મજાક ઉડાવતા મંત્રીઓને જોઈને ખેડૂતો કહે છે, ગુજરાતમાં નેપાળ વાળી થાય તો નવાઈ નથી: પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા મોરબીમાં ઘરે એસિડ પી ગયેલા વૃદ્ધાનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબીમાં પતિને વારંવાર ફોન કરતી પત્નીને ઠપકો આપતા મહિલાએ અણધાર્યું પગલું ભર્યું આજે મોરબીમાં જલારામ જયંતિ નિમિતે યોજાનાર જલારામ બાપાની શોભાયાત્રામાં રઘુવંશી પરિવારોને જોડાવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે પોદળો નાખવા બાબતે થયેલ મારામારીમાં બે મહિલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ


SHARE



























મોરબીના પાનેલી ગામે પોદળો નાખવા બાબતે થયેલ મારામારીમાં બે મહિલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ

મોરબી તાલુકાના પાનેલી ગામે આવેલ ગોપાલ સોસાયટીમાં શેરીમાં કચરો વાળવા અને પોદળો નાખવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારે પાડોશમાં રહેતા બે પરિવાર વચ્ચે મારામારી થઈ હતી જેની સામસામે ફરિયાદ નોંધાયેલ હતી જે એક ગુનામાં પોલીસે બે મહિલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના પાનેલી ગામે ગોપાલ સોસાયટીમાં સહદેવભાઈ ભાણજીભાઈ કંઝારીયા જાતે દલવાડી (36)એ ગૌરીબેન ઉર્ફે ભૂરીબેન શાંતિલાલજીતેન્દ્રભાઈ શાંતિલાલવર્ષાબેન શાંતિલાલગૌતમભાઈ લક્ષ્મણભાઈ કંઝારીયાજયેશ શાંતિલાલ કંઝારીયાઅરવિંદભાઈ લખમણભાઇ કંઝારીયાશાંતિલાલ ડુંગરભાઇ અને લખમણભાઇ ડુંગરભાઇની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, આરોપીઓ ફરિયાદીના ઘરે પોદળો નાખી ગયા હતા. જેથી વૈશાલીબેને આરોપીઓને કહેવા જતા આરોપીઓ તેને ગાળો આપી હતી અને ત્યાર બાદ હથિયારો સાથે ફરિયાદીના ઘરે આવીને ગૌતમભાઈ કંઝારીયાએ ફરિયાદીને લોખંડની પાઈપથી ડાબા પગના સાથળના ભાગે માર માર્યો હતો. જ્યારે ગૌરીબેને લાકડાના ધોકા વડે નિશાબેનને માથામાં માર મારીને ઇજા કરી હતી અને અરવિંદભાઈએ લોખંડના પાઇપ વડે વૈશાલીબેનને માથામાં ડાબા કાન પાસે માર મારીને ઇજા કરી હતી અને વર્ષાબેને વૈશાલીને લાકડાના ધોકાથી માર માર્યો હતો. તેમજ ધરમશીભાઈને જીતેન્દ્રભાઈએ લોખંડના પાઇપથી ડાબા હાથ ઉપર માર મારીને ઇજા કરેલ છે અને શાંતિલાલએ ધોકા વડે ફરિયાદીને માર મારી માથા અને કપાળના ભાગે ઇજા કરી હતી. જેથી ઈજા પામેલ લોકોને સારવારમાં લઈ ગયા હતા. ત્યારબાદ સહદેવભાઈ કંઝારીયાએ ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે આરોપી ગૌરીબેન ઉર્ફે ભૂરીબેન શાંતિલાલ કંઝારીયા (52)જીતેન્દ્રભાઈ શાંતિલાલ કંઝારીયા (30),  વર્ષાબેન જિતેન્દ્રભાઈ કંઝારીયા (27)અરવિંદભાઈ લખમણભાઇ કંઝારીયા (22) અને લખમણભાઇ ડુંગરભાઇ કંઝારીયા (51)ની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા તજવીજ ચાલી રહી છે.






Latest News