હળવદ યાર્ડના વેપારી સાથે ૬૯.૬૪ લાખની છેતરપિંડી-વિશ્વાસઘાતના ગુનામાં મુખ્ય આરોપી ઝડપાયો મોરબીમાં ધુળેટીના દિવસે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખોખરા હનુમાન ખાતે આનંદ ઉત્સવ ઉજવાયો મોરબીના કડીવાર પરીવારે તેઓના દાદાની ૩૦ મી પુણ્યતીથીએ કીડીયારું પુરીને તેમજ ગૌસેવાનું કામ કરીને શ્રધ્ધાંજલિ આપી 1 એપ્રિલ થી 90 દિવસથી વધુ પેમેન્ટ ક્રેડિટ અપાશે નહીં: મોરબીમાં પોલિસીંગ ટુલ્સ ડિપાર્ટમેન્ટની મિટિંગમાં લેવાયો નિર્ણય મોરબીના બે સ્મશાન ગૃહમાં સરકારી 1.50 કરોડની ગ્રાન્ટમાંથી બનેલ ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી-નવા પ્રાર્થના હોલનું ધારાસભ્યએ લોકાર્પણ કર્યું મોરબી જીલ્લામાં ગૌવંશ કતલના ગુનામાં પકડાયેલા પાંચ આરોપીઓ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં રાત્રિ દરમિયાન સગીરાનું અપહરણ: પોકસો, એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીની એલ.ઇ. અને અમદાવાદની એલ. ડી. કોલેજનું ૧૦ કરોડના ખર્ચે હેરિટેજ રિસ્ટોરેશન કરાશે
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે પોદળો નાખવા બાબતે થયેલ મારામારીમાં બે મહિલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ


SHARE











મોરબીના પાનેલી ગામે પોદળો નાખવા બાબતે થયેલ મારામારીમાં બે મહિલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ

મોરબી તાલુકાના પાનેલી ગામે આવેલ ગોપાલ સોસાયટીમાં શેરીમાં કચરો વાળવા અને પોદળો નાખવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારે પાડોશમાં રહેતા બે પરિવાર વચ્ચે મારામારી થઈ હતી જેની સામસામે ફરિયાદ નોંધાયેલ હતી જે એક ગુનામાં પોલીસે બે મહિલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના પાનેલી ગામે ગોપાલ સોસાયટીમાં સહદેવભાઈ ભાણજીભાઈ કંઝારીયા જાતે દલવાડી (36)એ ગૌરીબેન ઉર્ફે ભૂરીબેન શાંતિલાલજીતેન્દ્રભાઈ શાંતિલાલવર્ષાબેન શાંતિલાલગૌતમભાઈ લક્ષ્મણભાઈ કંઝારીયાજયેશ શાંતિલાલ કંઝારીયાઅરવિંદભાઈ લખમણભાઇ કંઝારીયાશાંતિલાલ ડુંગરભાઇ અને લખમણભાઇ ડુંગરભાઇની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, આરોપીઓ ફરિયાદીના ઘરે પોદળો નાખી ગયા હતા. જેથી વૈશાલીબેને આરોપીઓને કહેવા જતા આરોપીઓ તેને ગાળો આપી હતી અને ત્યાર બાદ હથિયારો સાથે ફરિયાદીના ઘરે આવીને ગૌતમભાઈ કંઝારીયાએ ફરિયાદીને લોખંડની પાઈપથી ડાબા પગના સાથળના ભાગે માર માર્યો હતો. જ્યારે ગૌરીબેને લાકડાના ધોકા વડે નિશાબેનને માથામાં માર મારીને ઇજા કરી હતી અને અરવિંદભાઈએ લોખંડના પાઇપ વડે વૈશાલીબેનને માથામાં ડાબા કાન પાસે માર મારીને ઇજા કરી હતી અને વર્ષાબેને વૈશાલીને લાકડાના ધોકાથી માર માર્યો હતો. તેમજ ધરમશીભાઈને જીતેન્દ્રભાઈએ લોખંડના પાઇપથી ડાબા હાથ ઉપર માર મારીને ઇજા કરેલ છે અને શાંતિલાલએ ધોકા વડે ફરિયાદીને માર મારી માથા અને કપાળના ભાગે ઇજા કરી હતી. જેથી ઈજા પામેલ લોકોને સારવારમાં લઈ ગયા હતા. ત્યારબાદ સહદેવભાઈ કંઝારીયાએ ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે આરોપી ગૌરીબેન ઉર્ફે ભૂરીબેન શાંતિલાલ કંઝારીયા (52)જીતેન્દ્રભાઈ શાંતિલાલ કંઝારીયા (30),  વર્ષાબેન જિતેન્દ્રભાઈ કંઝારીયા (27)અરવિંદભાઈ લખમણભાઇ કંઝારીયા (22) અને લખમણભાઇ ડુંગરભાઇ કંઝારીયા (51)ની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા તજવીજ ચાલી રહી છે.








Latest News