મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી ખાતે વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત જિલ્લા કક્ષાનો લાયક દંપતી વર્કશોપ યોજાયો


SHARE













મોરબી ખાતે વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત જિલ્લા કક્ષાનો લાયક દંપતી વર્કશોપ યોજાયો

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના નેતૃત્વમાં અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનાં માર્ગદર્શન હેઠળ તા.૯/૭ નાં રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી-૨૦૨૪ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ મોરબી દ્વારા જિલ્લા કક્ષાના લાયક દંપતી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીમાં રામધન આશ્રમ ખાતે યોજાયેલા લાયક દંપતી વર્કશોપમાં મોરબી જિલ્લામાંથી ૨૪૦ જેટલા દંપતીઓ, લોકો અને આશા બહેનો જોડાયા હતા.

આ વર્કશોપ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતા દવેએ વિશ્વ વસ્તી દિવસ ઉજવણી ઉપરાંત આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મહેતા દ્વારા કુટુંબ નિયોજનની વિવિધ પધ્ધતિઓ અંગે છણાવટ કરી કુટુંબ નિયોજન થકી માતા મરણ અને બાળ મરણ પ્રમાણ નીચું લાવી શકાય છે તે બાબતે માહિતી આપી હતી. જિલ્લા આર.સી.એચ.અધિકારી ડો.સંજય શાહ દ્વારા માતા અને બાળ આરોગ્ય તથા સમયસર રસીકરણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં ડો.રાહુલ કોટડીયા, ડો.ડી.વી.બાવરવા, ડો.વિપુલ કારોલીયા, ડી.એમ.સંઘાણી સહિતના હાજર રહ્યા હતા.




Latest News