મોરબી જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર: મહામંત્રીમાં નિર્મલભાઈ જારીયા, તપનભાઇ દવે અને ચતુરભાઈ મકવાણાની વરણી મોરબીની મચ્છુ નદી ઉપર શાંતિવન આશ્રમથી વેજીટેબલ રોડને જોડતા ડાઉનસ્ટ્રીમ બ્રીજના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાઈ મોરબી મહાનગરપાલિકા દ્વારા વીસીપારામાં 9.37 કરોડના ખર્ચે પીવાના પાણીની નવી પાઇપ લાઇનની કામગીરી હાથ ધરાઇ મોરબીમાં શિવરાત્રીના દિવસે જાહેરનામાનો ભંગ કરીને કતલખાના ચાલુ રાખનારા-નોનવેજનું વેચાણ કરનારાઓ સામે પગલાં લેવા વિહિપ- બજરંગ દળની માંગ મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશનના સભ્ય દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબી મહાનગરપાલિકાના આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો મોરબીની ધી.વી.સી હાઇસ્કૂલ અને વિવેકનંદ કન્યા શાળામાં માતૃભાષા મહોત્સવની ઉજવણી કરાશે મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સભ્યની દીકરીનો જન્મદિવસ બાળકોને આનંદ અપાવીને ઉજવાયો
Breaking news
Morbi Today

ટંકારાના છતર પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા માતાનું મોત: દીકરો સારવારમાં


SHARE













ટંકારાના છતર પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા માતાનું મોત: દીકરો સારવારમાં

રાજકોટમાં રામવન પાસે રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા જશુબેન ટોળીયા તેના પુત્ર પ્રકાશના બાઈક પાછળ બેસી મિતાણા ગામે માતાજીના દર્શને જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો: ઇજાગ્રસ્ત માતા-પુત્રને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં જશુબેને સારવારમાં દમ તોડી દીધો હતો

ટંકારાના છતર પાસે ટ્રકે બાઇકને હડફેટે લીધું હતું જેમાં માતાનું મોત નીપજ્યું હતું જ્યારે બાઈક ચાલક પુત્ર ઇજાગ્રસ્ત થયેલ. રાજકોટમાં રામવન પાસે રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા જશુબેન ટોળીયા તેના પુત્ર ચિરાગના બાઈક પાછળ બેસી મિતાણા ગામે માતાજીના દર્શને જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.

આ અંગે મળતી વિગત મુજબ, ગઈકાલે સાંજે 4 વાગ્યા આસપાસ જશુબેન લાખાભાઈ ટોળીયા (ઉં. વ.60) અને પ્રકાશભાઈ લાખાભાઈ ટોળીયા (ઉં. વ.24)(રહે. બંને રાધાકૃષ્ણ સોસાયટી, રામવન પાસે, રાજકોટ)ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત હાલતમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન જશુબેનનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે પોલીસ ટીમ દોડી આવી હતી.

મૃતકના પરિજનોની પૂછપરછ કરતા જાણવા મળેલ કે, ગઈકાલે બપોરે માતા-પુત્ર મિતાણા ખાતે આવેલ માતાજીના મંદિરે દર્શન કરવા જવા માટે બાઈક પર નીકળ્યા હતા. આશરે પોણા ત્રણ વાગ્યે છતર ગામ પાસે મોરબી રાજકોટ રોડ પર બાલાજી કારખાના પાસે પહોંચતા પાછળથી આવતા આઇસર ટ્રક ચાલકે બાઈક સહિત પાછળથી માતા પુત્રને હડફેટે લેતા બંને ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં માતાનું મોત થયું હતું.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, મૃતક જશુબેનને સંતાનમાં 3 દીકરી, 2 દીકરા છે. તેમના પતિ લાખાભાઈ નિવૃત્ત છે.જ્યારે ઇજાગ્રસ્ત પ્રકાશ ચા ની કિટલી ચલાવે છે. પ્રકાશ ઇજાગ્રસ્ત હોય, તેને સારવારમાં દાખલ રખાયો છે. બનાવથી ટોળીયા પરિવારમાં શોક છવાયો હતો.






Latest News