લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

ટંકારાના છતર પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા માતાનું મોત: દીકરો સારવારમાં


SHARE











ટંકારાના છતર પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા માતાનું મોત: દીકરો સારવારમાં

રાજકોટમાં રામવન પાસે રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા જશુબેન ટોળીયા તેના પુત્ર પ્રકાશના બાઈક પાછળ બેસી મિતાણા ગામે માતાજીના દર્શને જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો: ઇજાગ્રસ્ત માતા-પુત્રને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં જશુબેને સારવારમાં દમ તોડી દીધો હતો

ટંકારાના છતર પાસે ટ્રકે બાઇકને હડફેટે લીધું હતું જેમાં માતાનું મોત નીપજ્યું હતું જ્યારે બાઈક ચાલક પુત્ર ઇજાગ્રસ્ત થયેલ. રાજકોટમાં રામવન પાસે રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા જશુબેન ટોળીયા તેના પુત્ર ચિરાગના બાઈક પાછળ બેસી મિતાણા ગામે માતાજીના દર્શને જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.

આ અંગે મળતી વિગત મુજબ, ગઈકાલે સાંજે 4 વાગ્યા આસપાસ જશુબેન લાખાભાઈ ટોળીયા (ઉં. વ.60) અને પ્રકાશભાઈ લાખાભાઈ ટોળીયા (ઉં. વ.24)(રહે. બંને રાધાકૃષ્ણ સોસાયટી, રામવન પાસે, રાજકોટ)ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત હાલતમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન જશુબેનનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે પોલીસ ટીમ દોડી આવી હતી.

મૃતકના પરિજનોની પૂછપરછ કરતા જાણવા મળેલ કે, ગઈકાલે બપોરે માતા-પુત્ર મિતાણા ખાતે આવેલ માતાજીના મંદિરે દર્શન કરવા જવા માટે બાઈક પર નીકળ્યા હતા. આશરે પોણા ત્રણ વાગ્યે છતર ગામ પાસે મોરબી રાજકોટ રોડ પર બાલાજી કારખાના પાસે પહોંચતા પાછળથી આવતા આઇસર ટ્રક ચાલકે બાઈક સહિત પાછળથી માતા પુત્રને હડફેટે લેતા બંને ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં માતાનું મોત થયું હતું.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, મૃતક જશુબેનને સંતાનમાં 3 દીકરી, 2 દીકરા છે. તેમના પતિ લાખાભાઈ નિવૃત્ત છે.જ્યારે ઇજાગ્રસ્ત પ્રકાશ ચા ની કિટલી ચલાવે છે. પ્રકાશ ઇજાગ્રસ્ત હોય, તેને સારવારમાં દાખલ રખાયો છે. બનાવથી ટોળીયા પરિવારમાં શોક છવાયો હતો.






Latest News