મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના અમરાપર પાસે નદીના પાણીમાં ડૂબી જવાથી ૩ વર્ષની બાળકીનું મોત


SHARE







ટંકારાના અમરાપર પાસે નદીના પાણીમાં ડૂબી જવાથી ૩ વર્ષની બાળકીનું મોત

ટંકારા તાલુકાના અમરાપર ગામ પાસે વાડીની બાજુમાં આવેલ નદીના પાણીમાં અકસ્માતે પડી જવાના કારણે ત્રણ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. જેથી કરીને તેના મૃતદેહને ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના અમરાપર ગામે ઈકબાલભાઈ અલ્લારખાભાઇની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં મહેશભાઈ બિલાળાની ત્રણ વર્ષની દીકરી રાધિકાબેન કોઈ કારણોસર વાડીની બાજુમાં આવેલ નદીના પાણીમાં અકસ્માતે ડૂબી ગઈ હતી જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતા બાળકીના મૃતદેહને નદીના પાણીમાંથી કાઢીને પી.એમ. માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પીધી

મોરબી તાલુકાના થોરાળા ગામે અમૃતભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં સંગીતાબેન મુકેશભાઈ ધાણાક (ઉંમર ૨૦) કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી હાલમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે સંગીતાબેનનો લગ્ન ગાળો એક વર્ષનો છે અને તેને સંતાનમાં ત્રણ મહિનાની એક દીકરી હોવાનું જાણવા મળેલ છે જોકે તેઓએ કયા કારણોસર ઝેરી દવા પીધેલ છે તે અંગે હજુ પોલીસ તપાસ ચાલી રહી છે

મહિલાનું મોત

ટંકારા તાલુકાના હરિપર ગામે હિંમતભાઈ પટેલની વાડી રહેતા અને મજૂરી કામ કરતા ઇશ્વરભાઇ પરમારના પત્ની ચંપાબેન (૧૯) બીમારી સબબ બેભાન હતા અને બેભાન અવસ્થામાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે તેઓને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા જેથી કરીને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News