મોરબીની મચ્છુ નદી ઉપર શાંતિવન આશ્રમથી વેજીટેબલ રોડને જોડતા ડાઉનસ્ટ્રીમ બ્રીજના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાઈ મોરબી મહાનગરપાલિકા દ્વારા વીસીપારામાં 9.37 કરોડના ખર્ચે પીવાના પાણીની નવી પાઇપ લાઇનની કામગીરી હાથ ધરાઇ મોરબીમાં શિવરાત્રીના દિવસે જાહેરનામાનો ભંગ કરીને કતલખાના ચાલુ રાખનારા-નોનવેજનું વેચાણ કરનારાઓ સામે પગલાં લેવા વિહિપ- બજરંગ દળની માંગ મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશનના સભ્ય દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબી મહાનગરપાલિકાના આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો મોરબીની ધી.વી.સી હાઇસ્કૂલ અને વિવેકનંદ કન્યા શાળામાં માતૃભાષા મહોત્સવની ઉજવણી કરાશે મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સભ્યની દીકરીનો જન્મદિવસ બાળકોને આનંદ અપાવીને ઉજવાયો મોરબી: ગામનો પૈસો ગામમાં અને શહેરનો પૈસો પણ ગામમાં, પ્રાકૃતિક કૃષિ દ્વારા ખેતી ખર્ચ ઘટાડી આર્થિક સમૃદ્ધિ તરફ ડગ માંડતા ખેડૂતો
Breaking news
Morbi Today

મોરબીના નવાગામના યુવાનની લીલાપર ગામના સર્વિસ સ્ટેશન નજીક કારમાંથી લાશ મળી


SHARE













મોરબીના નવાગામના યુવાનનું લીલાપર ગામના સર્વિસ સ્ટેશન નજીક શંકાસ્પદ હાલતમાં મોત

મોરબી તાલુકાના નવાગામ ખાતે રહેતા યુવાનનું લીલાપર ચોકડી પાસે સર્વિસ સ્ટેશન નજીક શંકાસ્પદ હાલતમાં મોત નીપજતા બનાવના કારણ અંગે તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી રહી છે.

મોરબી તાલુકાના નવાગામ ખાતે રહેતો મુકેશભાઈ ખેંગારભાઈ સોલંકી (ઉમર 42) નામનો યુવાન લીલાપર ગામની ચોકડી પાસે આશીર્વાદ સર્વિસ સ્ટેશન પાસે હતો.ત્યારે કોઈપણ કારણોસર તેનું મોત નીપજતા તેના ડેડબોડીને અજયભાઈ ખેંગારભાઈ સોલંકી મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં જોઈ તપાસીને ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ કરી છે.આ બનાવની પ્રાથમિક તપાસ એસ.વી.સોલંકી દ્વારા કરવામાં આવી રહી છે.વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક યુવાન તા.10 ના રોજથી ગુમ થઈ ગયો હતો અને તેનો પરિવાર તેને શોધતો હતો.તેવામાં લીલાપર ગામે આવેલ સર્વિસ સ્ટેશન નજીક કારની અંદરથી તે મળી આવ્યો હતો.તેનો પરિવાર ત્યાં પહોંચ્યો ત્યારે તે બેભાન હાલતમાં હોય પરિવાર દ્વારા 108 ને જાણ કરવામાં આવી હતી અને બાદમાં 108 આવી ત્યારે કારના કાચ તોડીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો અને તપાસવામાં આવતા તે મૃત હાલતમાં હોય ડેડબોડીને પીએમ માટે સિવિલ હોસ્પિટલએ લઇ જવામાં આવ્યું હતું.મૃતકના અવસાનથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.હાર્ટ એટેકના લીધે કુદરતી મોત છે કે અન્ય કોઈ બાબત તે જાણવા માટે તાલુકા પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.






Latest News