મોરબીની તપોવન વિદ્યાલય પરિવાર દ્વારા શહિદ વીર જવાનના પરિવારને કરાઇ આર્થિક મદદ મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ ભૂકંપથી ખંઢેર બની ગયેલ મોરબીની એલ.ઇ. કોલેજ અંદાજે 108 કરોડના ખર્ચ રજવાડાએ આપેલ મહેલ જેવી મૂળ સ્થિતિમાં લઈ આવવામાં આવે તેવા સંકેત મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોની તેમજ વંચિત વર્ગની દીકરીઓના ૧૦ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ કરવામાં આવ્યો તેરા તુજકો અર્પણ: મોરબીમાં DYSP પી.એ.ઝાલાના હસ્તે લોકોને 12.07 લાખનો મુદામાલ પરત અપાયો મોરબી કોર્પોરેશન ડે ની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરાયું ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સ્ટાફની ભરતી કરાશે; અરજી કરવાનું શરૂ
Breaking news
Morbi Today

મોરબીના નવાગામના યુવાનની લીલાપર ગામના સર્વિસ સ્ટેશન નજીક કારમાંથી લાશ મળી


SHARE











મોરબીના નવાગામના યુવાનનું લીલાપર ગામના સર્વિસ સ્ટેશન નજીક શંકાસ્પદ હાલતમાં મોત

મોરબી તાલુકાના નવાગામ ખાતે રહેતા યુવાનનું લીલાપર ચોકડી પાસે સર્વિસ સ્ટેશન નજીક શંકાસ્પદ હાલતમાં મોત નીપજતા બનાવના કારણ અંગે તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી રહી છે.

મોરબી તાલુકાના નવાગામ ખાતે રહેતો મુકેશભાઈ ખેંગારભાઈ સોલંકી (ઉમર 42) નામનો યુવાન લીલાપર ગામની ચોકડી પાસે આશીર્વાદ સર્વિસ સ્ટેશન પાસે હતો.ત્યારે કોઈપણ કારણોસર તેનું મોત નીપજતા તેના ડેડબોડીને અજયભાઈ ખેંગારભાઈ સોલંકી મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં જોઈ તપાસીને ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ કરી છે.આ બનાવની પ્રાથમિક તપાસ એસ.વી.સોલંકી દ્વારા કરવામાં આવી રહી છે.વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક યુવાન તા.10 ના રોજથી ગુમ થઈ ગયો હતો અને તેનો પરિવાર તેને શોધતો હતો.તેવામાં લીલાપર ગામે આવેલ સર્વિસ સ્ટેશન નજીક કારની અંદરથી તે મળી આવ્યો હતો.તેનો પરિવાર ત્યાં પહોંચ્યો ત્યારે તે બેભાન હાલતમાં હોય પરિવાર દ્વારા 108 ને જાણ કરવામાં આવી હતી અને બાદમાં 108 આવી ત્યારે કારના કાચ તોડીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો અને તપાસવામાં આવતા તે મૃત હાલતમાં હોય ડેડબોડીને પીએમ માટે સિવિલ હોસ્પિટલએ લઇ જવામાં આવ્યું હતું.મૃતકના અવસાનથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.હાર્ટ એટેકના લીધે કુદરતી મોત છે કે અન્ય કોઈ બાબત તે જાણવા માટે તાલુકા પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.






Latest News