ટંકારા તાલુકાના લખધીરગઢ-અમરાપર ગામે વૃક્ષારોપણના કાર્યક્રમો જિલ્લા માહિતી અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયા મોરબી નિવાસી અધિક કલેક્ટરની ઉપસ્થિતિમાં મિશન શક્તિ યોજના અન્વયે બેઠક યોજાઈ મોરબી મનપામાં કમિશનરના અધ્યક્ષ સ્થાને બે ધારાસભ્યોની હાજરીમાં સંકલનની બેઠક યોજાઈ: પ્રાથમિક સુવિધાના પ્રશ્નોને ઉકેલવાના કામને આપશે પ્રાધાન્ય મોરબી જલારામ ધામ ખાતે રવિવારથી લોહાણા જ્ઞાતિના યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક વેવિશાળ કેન્દ્ર શરૂ મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ, પોલીસ તપાસ શરૂ હળવદના રાણેકપર ગામે પડી જવાથી માથામાં ઇજા થતાં એક વર્ષની બાળકીનું મોત વાંકાનેર તાલુકામાં જોખમી પુલ, ખરાબ રોડ, ખનીજ ચોરી સહિતના પ્રશ્ને કોંગ્રેસના માજી ધારાસભ્યની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવ્યુ ધારાસભ્યની રજુઆત ફળી: મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ બની રહેલા ફ્લાયઓવર બ્રિજના કામમાં 60 કરોડનો વધારો કરાયો, હવે 16 ખુલ્લા ગાળા મળશે
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાયેલ આયુર્વેદિક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનો 129 લોકોએ લાભ લીધો


SHARE

















મોરબીમાં યોજાયેલ આયુર્વેદિક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનો 129 લોકોએ લાભ લીધો

નિયામક શ્રી, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી, મોરબીની સૂચના તથા માર્ગદર્શન અન્વયે સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિર, પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે વિનામૂલ્યે આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન  કરવામાં આવેલ.આ કેમ્પનો 129 લોકોએ લાભ લીધો હતો.કેમ્પમાં વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર (મેડિકલ ઓફિસર-આયુર્વેદ) અને વૈદ્ય જિજ્ઞેશભાઈ બોરસાણિયા (મેડિકલ ઓફિસર-આયુર્વેદ) એ સેવા આપી હતી.કેમ્પમાં આયુર્વેદિક પદ્ધતિએ રોગોનું નિદાન તેમજ સારવાર કરીને વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી.આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન, આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવા વિતરણ થશેઅરાયેલ. હરસ, મસા, શરદી, ઉધરસ, શ્વાસ, એલર્જીની શરદી, સાંધાનો દુ:ખાવો, ખરજવુ, ધાધર,ખીલ,કાળા  ડાઘ જેવા ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ, અપચો, ગેસ, પેટનો દુખાવો, એસીડીટી, કૃમિ, કબજિયાત, મરડો જેવી પાચન સંબંધી તકલીફ, મધુમેહ, સ્થૂળતા જેવા  જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવી હતી. 






Latest News