મોરબીમાં મુખ્યમંત્રીના આગમન પહેલા કોંગ્રેસનાં આગેવાનો ઓફિસ-ઘરે નજર કેદ મોરબી : રાજકોટ હાઇવે ઉપર અકસ્માતમાં ઇજા થતા ચાર લોકો સારવારમાં મોરબી નજીક સીરામીક કારખાનામાં પાણીના ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબીના પ્રાંત અધિકારી સમક્ષ 602 વાળી જમીન માટે બેચર ડુંગરના બે મરણના દાખલા-બે ચતુર દિશા દર્શાવતુ રેકર્ડ આવ્યું તો ખરાઈ કેમ ન કરાવી ?: અધિકારીઓમાં ચર્ચા મોરબીમાં ચોકલેટ દઈને મોબાઈલ બતાવવાની લાલચ આપીને 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મોરબીમાં આજે મુખ્યમંત્રીની હાજરીમાં 900 કરોડ થી વધુના વિકાસ કાર્યોનું કરાશે લોકાર્પણ-ખાતમહુર્ત ગોલમાલ: મોરબીમાં વિવાદિત 602 વાળી જમીનના બોગસ વેચાણ દસ્તાવેજની એન્ટ્રી નામંજૂર કર્યા ના 14 દિવસે કોપી મળી ! મોરબીમાં મહારાણા પ્રતાપ સોસાયટી પાસે સર્વિસ રોડ ઉપર એસિડ જેવું કેમિકલ ભરેલ ટેન્કર પલટી મરી ગયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો


SHARE











મોરબી જિલ્લા પંચાયત દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો

મોરબીમાં ડીડીઓ જે.એસ.પ્રજાપતિની પ્રેરિત અને આદરણીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મેડમ નમ્રતા મેડમના માર્ગદર્શન હેઠળ એલ.ઈ.કોલેજ મોરબીના સેમીનાર હોલમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો. જેમાં N.M.M.S અને જ્ઞાનસાધના જેવી પરીક્ષામાં  ટોપર આવેલ અલગ અલગ શાળાના કુલ 60 વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓ સાથે ભાગ લીધો હતો. જેમાં NTSE, પ્રતિભા/પ્રખરતા શોધ પરીક્ષા, IIT ENTRANCE EXAM, તથા તર્કશક્તિ વિકાસની પ્રવૃત્તિઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે જાગૃતિ બાબતે અનુક્રમે જે તે પરીક્ષા વિશે મનનભાઈ બુદ્ધદેવ (સ્કૂલ ઇન્સ્પેક્ટર)વિશાલભાઈ સાણંદિયા (મ.શિ.જવાહર પ્રા.શાળા)કમલેશભાઈ દલસાણિયા, હિરેનભાઇ રૈયાણીએ PPT સાથે સમજ આપી હતી.અંતમાં મોરબીના બાળરોગ નિષ્ણાત અને પ્રખર વક્તા તથા સાહિત્યકાર ડૉ.સતીશ પટેલએ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં પાંચેય તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ તથા બી.આર.સી કોર્ડિનેટર્સ તથા એલ.ઈ.કોલેજના પ્રોફેસર્સ સંતોકી અને આયલાણીની પ્રેરક ઉપસ્થિતિ હતી. તથા જિલ્લા લીગલ ઑફિસરે સંજયભાઈ નારોલાએ હાજરી આપી હતી. આખા સેમીનારનું કૉઓર્ડિનેશન મોરબીના બી.આર.સી કૉ-ઑર્ડિનેટર ચિરાગભાઈ આદ્રોજાએ કર્યુ હતું. આ કાર્યક્રમનું સંચાલન શૈલેષભાઈ કાલરિયાએ કર્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સી.આર.સી. ચેતનભાઈ જાકાસણીયા, ઉમેશભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ રંગપડીયા, શૈલશભાઈ કાલરીયા ,મહાવીરસિંહ જાડેજા, રમેશભાઈ હુંબલ, ભરતભાઇ મોઢવાડીયાએ જહેમત ઉઠાવી હતી.






Latest News