મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

હળવદના ટીકર રોડે વાડીના સેઢે આવી ગયેલા ઢોરને બહાર કાઢવાનું કહેતા યુવાન અને તેના ભાઈને બે શખ્સે માર માર્યો


SHARE













હળવદના ટીકર રોડે વાડીના સેઢે આવી ગયેલા ઢોરને બહાર કાઢવાનું કહેતા યુવાન અને તેના ભાઈને બે શખ્સે માર માર્યો

હળવદ તાલુકાના ટીકર રોડ ઉપર આવેલ મંદિર પાસે વાડીના સેઢે ઢોર આવી જતા ઢોરને બહાર કાઢવા માટે યુવાને કહ્યું હતું જે સામે વાળાઓને સારું ન લાગતા ઢોર લઈને આવેલા બે શખ્સોએ વાડીની અંદર પ્રવેશ કર્યો હતો અને યુવાનને ગાળો આપી હતી તેમજ યુવાન અને તેના ભાઈને લાકડી વડે અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ભોગ બનેલા યુવાને બે શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા રોનકભાઈ શશીકાંતભાઈ ચાવડા જાતે દલવાડી (21)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાયમલભાઈ રાણાભાઇ ભરવાડ અને મહાદેવભાઇ અરજણભાઈ ભરવાડ રહે. બંને હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જણાવ્યું છે કે, હળવદના ટીકર રોડ ઉપર આવેલ મકારી હનુમાનજીના મંદિર પાસે તેઓની વાડીના શેઢે બંને આરોપીઓના ઢોર આવી ગયા હતા જેથી તેને ઢોર બહાર કાઢવા માટે ફરિયાદીએ કહ્યું હતું જે આ બંને શખ્સોને સારું નહીં લાગતા તેને વાડીની અંદર પ્રવેશ કરીને ફરિયાદી યુવાનને ગાળો આપી હતી અને લાકડી વડે તથા ઢીકાપાટુનો માર યુવાન અને તેના ભાઈને માર્યો હતો. જેથી ઈજા પામેલા બંને ભાઈઓને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા મંજુલાબેન નરશીભાઈ નકુમ (77) નામના વૃદ્ધા બાઈકમાં પાછળ બેસીને વજેપરમાં આવેલ રામજી મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તે બાઈક ઉપરથી નીચે પડી ગયા હતા જેથી તેને ઈજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યારે તેને સારવાર આપ્યા બાદ આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને બનાવની પ્રાથમિક તપાસ વી.કે.પટેલ દ્વારા કરવામાં આવી હતી

મહિલા સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ હદાણીની વાડીમાં રહેતા સવિતાબેન રાજેશભાઈ કંઝારીયા (38) નામના મહિલા પોતાના ઘર પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થયું હતું અને મહિલા બાઇક ઉપરથી નીચે પટકાતા તેઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે








Latest News