માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ટંકારા-માળીયામાં ગુજરાત કિશાન સંગઠન દ્વારા પોલીસના પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે સીએમને કરાઇ રજૂઆત


SHARE

















ટંકારા-માળીયામાં ગુજરાત કિશાન સંગઠન દ્વારા પોલીસના પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે સીએમને કરાઇ રજૂઆત

હાલમાં ગુજરાતના પોલીસ જવાનોના પગાર સહિતના પ્રશ્નો ઊભા છે ત્યારે પોલીસ જવાનોના પડતર પ્રશ્નોને ઉકેલવામાં આવે તેના માટે મોરબી જીલ્લામાં ટંકારા અને માળીયા ગુજરાત કિશાન સંગઠન દ્વારા કલેકટર મારફત સીએમને આવેદન પાઠવીને પોલીસના પ્રશ્નોને ઉકેલવાની માંગ કરેલ છે

હાલમાં ગુજરાત કિશાન સંગઠન દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં લખ્યું છે કેગુજરાતમાં પોલીસ તરીકે ફરજ બજાવતા મોટા ભાગના જવાનો ખેડૂત, મજુર અને પસુપાલાકોના દીકરા તેમજ દીકરોઓ છે અને પોલીસ જવાનો રાજ્યની શાંતિ સલામતી, જનતાના રક્ષણ કાજે ૩૬૫ દિવસ પરિવારની ચિંતા કર્યા વગર ખડેપગે રહે છે. તો પણ પોલીસ જવાનોને યોગ્ય પગાર અને ગ્રેડ પે મળતા નથી અને અન્યાય થતો હોય છે જેથી કરીને પોલીસ જવાનોની પડતર માંગણીઓ ઉકેલવી, પોલીસ જવાનોના ગ્રેડ-પેમાં માંગણી મુજબનો યોગ્ય વધારો કરી આપવોફરજ પરના કલાકો ફિક્સ કરવા, પોલીસ જવાનો પણ પોતાના પરિવાર સાથે રહી શકે તે માટે તેમને પુરતી રજાઓ આપવી વિગેરે પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે અને રાજ્ય સરકાર દ્વારા જવાનો અને તેમના પરિવારોના હિતમાં નિર્ણય લેવાઇ તેવી માંગણી કરેલ છે




Latest News