મોરબીમાં બની રહેલા ઓવરબ્રિજમાં પિલ્લરની મજબૂતાઈ નિયમ મુજબની ન હોય કોન્ટ્રાકટરને સ્વખર્ચે તોડી પડી ફરી બનાવવા આદેશ હળવદના ગ્રામ્ય વિસ્તારમાં પતિને મારી નાખવાની ધમકી આપીને મહિલાની સાથે દુષ્કર્મ હળવદના ચરાડવામાં બાઈકે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા નીચે પટકાયેલ વૃદ્ધના હાથ ઉપરથી તોતિંગ ટાયર ફરી ગયું  માળીયા (મી)ના રોહિશાળા ગામે રહેતા શખ્સે ઇનસ્ટાગ્રામમાં ભડકાવ કોમેન્ટ કરતાં ગુનો નોંધાયો હળવદમાં મોબાઇલ ચોરવા બાબતની બોલાચાલીનો ખાર રાખીને ચાર શખ્સોએ છરી, પાઇપ અને ધોકા વડે કર્યો હુમલો: ઇજાગ્રસ્ત ત્રણ વ્યક્તિ સારવારમાં મોરબીમાં મની ટ્રાન્સફરનો ચાર્જ માંગનાર દુકાનદાર ઉપર છરી વડે હુમલો: માથા, ગળા, પાંસળી, કાંડા અને ખભામાં છરીના ઘા માર્યા મોરબી શહેરમાં જુદી જુદી બે જગ્યાએ જુગારની રેડ: પાંચ શખ્સો ઝડપાયા મોરબીમાં ઘરેથી ચપ્પલ સિવડાવવા જવાનું કહીને નીકળેલ યુવતી ગુમ
Breaking news
Morbi Today

મહર્ષિ દયાનંદજીની જન્મભૂમિ ટંકારામા શ્રી સરસ્વતી શિશુમંદિરનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો


SHARE







મહર્ષિ દયાનંદજીની જન્મભૂમિ ટંકારામા શ્રી સરસ્વતી શિશુમંદિરનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

ટંકારા મહર્ષિ દયાનંદજીની જન્મભૂમિમાં શિશુમંદિરનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતી જેમાં ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, વિદ્યાભારતી ગુજરાતના ઉપાધ્યક્ષ અપૂર્વભાઈ મણિયાર, જયંતિભાઈ રાજકોટિયા, ભવાનભાઈ ભાગીયા, જગદીશભાઈ પનારા, જગદીશભાઈ કણસાગરા વગેરે હાજર રહ્યા હતા આ તકે મોરબી શિશુમંદિરના નિયામક સુનિલભાઈ પરમારે કહ્યું કે મહર્ષિ દયાનંદની આ જન્મભૂમિ ઘણા વર્ષોથી આવા દિવ્યકાર્યની રાહ જોતી હતી. જે આજે શરૂ કરી રહ્યા છીએ. આ કાર્યક્રમના મુખ્ય વક્તા અપૂર્વભાઈ મણિયારે તેમના વક્તવ્યમાં કહ્યું હતું કે, આજે રોપાયેલું બીજ ભવિષ્યમાં ઘટાદાર વૃક્ષ બની ફળ-ફૂલ અને છાંયડો આપશે. ૧૯૫૨માં ગોરખપૂરમાં પ્રથમ શિશુમંદિરથી શરૂ થયેલું આ કાર્ય આજે પૂરા દેશમાં ફેલાયેલું છે. અને રાષ્ટ્રપ્રત્યેનું ઋણ ચૂકવે તેવા વિદ્યાર્થીઓ નિર્માણ કરીને ભારતને વિશ્વગુરુ બનાવવો તે શિશુમંદિરનો ઉદેશ છે. આ તકે ધારાસભ્ય દુર્લભજીભાઈએ શિશુમંદિરોને તન-મન-ધનથી સહયોગ આપવાની ખાતરી આપી હતી.






Latest News