મોરબીમાં ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 181 અભયમ ટીમ મોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવીમોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવી મોરબી  :  લગ્ન મુહૂર્તે થતાં બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નમ્બર્સ જાહેર કરાયા મોરબીના આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત, બંને વાહનમાં નુકસાની મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાની ઉત્તરક્રિયા નિમિત્તે યોજાયો રક્તદાન કેમ્પમાં 152 લોકોએ કર્યું રક્તદાન મોરબીના નારણકા ગામે બહુચરાજી માતાજી મંદિરે શીલાસ્થાપનનો કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લા-ગુજરાતનો વિકાસ રોકવાનું કામ કરનારાઓને હવે ઘર ભેગા કરવાના છે: હર્ષ સંઘવી
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર સળગાવી નાખવાના પ્રકરણમાં બે મહિલા આરોપીનો જામીન ઉપર છુટકારો


SHARE













મોરબીમાં ઘર સળગાવી નાખવાના પ્રકરણમાં બે મહિલા આરોપીનો જામીન ઉપર છુટકારો

મોરબીના રામકૃષ્ણનગરમાં સગીરાનું અપહરણ કરનારા આરોપીના ઘરને સગીરાના પરિવારજનોએ સળગાવી નાખ્યું હતું જેની ફરિયાદ આધરે પકડાયેલ આરોપી પૈકીનાં બે મહિલા આરોપીની જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં વકીલની દલીલને ધ્યાને લઈને બે મહિલા આરોપીઓના જામીન કોર્ટે મંજૂર કર્યા છે

મોરબી બી સિવિઝ્ન પોલીસ સ્ટેશનમાં ફરીયાદીની એવી ફરીયાદ હતી કે, આરોપીની સગીર વયની દીકરીને આ કામના ફરીયાદીનો દીકરો ભગાડી ગયેલ હતો અને તેઓ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયેલ હતા જેથી આ બાબતનો ખાર રાખીને બંને અરોપીઓએ ફરીયાદીના ઘરે આવીને ત્યાં આગ લગાડી દીધેલ હતી. જેમાં ફરીયાદીના ધરનો સામાન સળગી ગયેલ છે અને નુકશાની થયેલ છે. જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવામાં કરી હતી.

જે બે મહિલા આરોપીઓને પકડવામાં આવ્યા હતા તેના વકીલ દીલીપ આર. અગેચાણીયા મારફતે જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં તેને દલીલ કરી હતી કે, આરોપી તદન નીર્દોષ છે. આરોપી કુટુંબ કબીલા વાળા માણસો છે. ખોટી રીતે ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દીધેલ છે. આ બનાવમાં આરોપીએ સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી. આરોપીઓને પ્રી ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે. તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જુદાજુદા ચુકાદાઓ રજૂ કર્યા હતા તેને ધ્યાને બંને આરોપીઓને ૪૦,૦૦૦ ના શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના વકીલ દીલીપ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી.સોલંકી, રવી ચાવડા, કુલદિપ ઝીંઝુવાડીયા, ઉષા બાબરીયા, ક્રિષ્ના જારીયા રોકાયેલા હતા.






Latest News